ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 7 એપ્રિલ 2021
બુધવાર
મહારાષ્ટ્ર સરકારે ધોરણ 9 અને ધોરણ 11 ની વાર્ષિક પરીક્ષા સંદર્ભે અંતિમ નિર્ણય લઈ લીધો છે. આ નિર્ણય મુજબ નવમી અને અગિયારમા ધોરણના વિદ્યાર્થીઓને વગર પરીક્ષાએ પાસ કરવામાં આવશે. એટલે કે માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. બીજી તરફ ધોરણ 10 તેમજ ધોરણ 12 ના વિદ્યાર્થીઓ ની પરીક્ષા સંદર્ભે શું કરવું? તે વિશે રાજ્ય સરકારે નક્કી કર્યું છે કે આ બે ધોરણની ઓફલાઈન પરીક્ષા લેવામાં આવશે. એટલે કે જે પ્રકારે પરીક્ષા થાય છે તે પ્રકારે જ થશે. જોકે તેનું સ્વરૂપ શું હશે તે સંદર્ભે હજી સુધી કોઈ દિશાનિર્દેશ આવ્યા નથી.
ઉલ્લેખનીય છે કે અગાઉ સરકારે એક થી આઠ ધોરણ ને માસ પ્રમોશન આપ્યું હતું. હવે નવમા અને 11મા ધોરણ ને પણ માસ પ્રમોશન આપી દેવાયું છે.
કોરોના ટેસ્ટિંગ સંદર્ભે હવે નવી ગાઇડલાઇન બહાર પડી : આ છે નિયમ