Site icon

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ વેપારીઓ પાસેથી હપ્તા વસૂલીનું રેટ કાર્ડ રિલીઝ કર્યું; જાણો દુકાનો ખુલ્લી રાખવા માટે કેટલા અન્ડર ધ ટેબલ આપવા પડે છે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૯ જુલાઈ ૨૦૨૧

Join Our WhatsApp Community

શુક્રવાર

મુંબઈ સહિત મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓ અનલૉકના ત્રીજા તબક્કામાં છે. આ તબક્કાના નિયમો મુજબ દુકાનો માત્ર સાંજે ૪ વાગ્યા સુધી જ ખુલ્લી રાખવાની પરવાનગી છે. છતાં અવારનવાર છડેચોક આ તમામ નિયમોનું ઉલ્લંઘન થતું જોવા મળે છે. સાંજે ૪ વાગ્યા પછી પણ ઘણી દુકાનો ખુલ્લી હોય છે. અહીં ભ્રષ્ટાચાર થતો હોવાનું પણ વેપારીઓ કહે છે.

હવે આ મુદ્દે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના સંદીપ દેશપાંડેએ ગેરકાયદે થતી હપ્તા વસૂલીનું રેટ કાર્ડ બહાર પાડ્યું છે. આ રેટ કાર્ડ મુજબ સાંજે 4 વાગ્યા પછી દુકાનો ખુલ્લી રાખવા માટે મોટી દુકાન પાસેથી 5,000, મધ્યમ દુકાન પાસેથી 2,000, નાની દુકાન પાસેથી 1,000 રૂપિયાની હપ્તા વસૂલી થતી હોવાનું કહ્યું છે. આ મુદ્દે તેમણે ટ્વીટ કર્યું હતું અને આ માહિતી આપી હતી.

અયોધ્યામાં ઘટી મોટી દુર્ઘટના, સરયુમાં સ્નાન કરવા ગયેલા એક જ પરિવારના આટલા લોકો  પાણીમાં ડૂબ્યા ; જાણો વિગતે 

આ મુદ્દે શિવસેનાને ઘેરતાં તેમણે ટ્વીટમાં લખ્યું હતું કે “પહેલાં બાર માલિકો પાસેથી હપ્તા વસૂલી… હવે વેપારીઓ પાસેથી હપ્તા વસૂલી! મુંબઈમાં કોરોનાના નામે નવી વસૂલીની ઝુંબેશ ચાલુ છે… બપોરે 4 વાગ્યા પછી દુકાન ખુલ્લી રાખવા માટે હપ્તા વસૂલીનું રેટ કાર્ડ મોટા દુકાનદારને 5,000, મધ્યમ દુકાનદારને 2,000 તો નાના દુકાનદાર પાસેથી 1,000 રૂપિયા.” આ સાથે તેમણે એક વીડિયો પણ શૅર કર્યો હતો જેમાં દેખાય છે કે ૪ વાગ્યા પછી પણ ઘણી દુકાનો ખલ્લી છે.

 

 

 

Gujarat new talukas 2025: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠક
PURNA Scheme Gujarat: ગુજરાતની અંદાજે ૧૦ લાખ કિશોરીઓ પૂર્ણા યોજનાથી લાભાન્વિત થઈ વધુ સુપોષિત અને સશક્ત બની રહી છે
Gujarat Rain Alert: નવરાત્રી દરમિયાન ગુજરાતના આ ભાગોમાં ભારે વરસાદની આગાહી, 29 સપ્ટેમ્બર સુધી યેલો એલર્ટ
Gandhinagar Startups: સ્ટાર્ટઅપ્સ કોન્કલેવ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માઈન્ડ ટુ માર્કેટના વિચારને સાર્થક કરવાનો મંચ બનશે: કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ
Exit mobile version