Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ વેપારીઓ પાસેથી હપ્તા વસૂલીનું રેટ કાર્ડ રિલીઝ કર્યું; જાણો દુકાનો ખુલ્લી રાખવા માટે કેટલા અન્ડર ધ ટેબલ આપવા પડે છે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૯ જુલાઈ ૨૦૨૧

Join Our WhatsApp Channel

શુક્રવાર

મુંબઈ સહિત મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓ અનલૉકના ત્રીજા તબક્કામાં છે. આ તબક્કાના નિયમો મુજબ દુકાનો માત્ર સાંજે ૪ વાગ્યા સુધી જ ખુલ્લી રાખવાની પરવાનગી છે. છતાં અવારનવાર છડેચોક આ તમામ નિયમોનું ઉલ્લંઘન થતું જોવા મળે છે. સાંજે ૪ વાગ્યા પછી પણ ઘણી દુકાનો ખુલ્લી હોય છે. અહીં ભ્રષ્ટાચાર થતો હોવાનું પણ વેપારીઓ કહે છે.

હવે આ મુદ્દે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના સંદીપ દેશપાંડેએ ગેરકાયદે થતી હપ્તા વસૂલીનું રેટ કાર્ડ બહાર પાડ્યું છે. આ રેટ કાર્ડ મુજબ સાંજે 4 વાગ્યા પછી દુકાનો ખુલ્લી રાખવા માટે મોટી દુકાન પાસેથી 5,000, મધ્યમ દુકાન પાસેથી 2,000, નાની દુકાન પાસેથી 1,000 રૂપિયાની હપ્તા વસૂલી થતી હોવાનું કહ્યું છે. આ મુદ્દે તેમણે ટ્વીટ કર્યું હતું અને આ માહિતી આપી હતી.

અયોધ્યામાં ઘટી મોટી દુર્ઘટના, સરયુમાં સ્નાન કરવા ગયેલા એક જ પરિવારના આટલા લોકો  પાણીમાં ડૂબ્યા ; જાણો વિગતે 

આ મુદ્દે શિવસેનાને ઘેરતાં તેમણે ટ્વીટમાં લખ્યું હતું કે “પહેલાં બાર માલિકો પાસેથી હપ્તા વસૂલી… હવે વેપારીઓ પાસેથી હપ્તા વસૂલી! મુંબઈમાં કોરોનાના નામે નવી વસૂલીની ઝુંબેશ ચાલુ છે… બપોરે 4 વાગ્યા પછી દુકાન ખુલ્લી રાખવા માટે હપ્તા વસૂલીનું રેટ કાર્ડ મોટા દુકાનદારને 5,000, મધ્યમ દુકાનદારને 2,000 તો નાના દુકાનદાર પાસેથી 1,000 રૂપિયા.” આ સાથે તેમણે એક વીડિયો પણ શૅર કર્યો હતો જેમાં દેખાય છે કે ૪ વાગ્યા પછી પણ ઘણી દુકાનો ખલ્લી છે.

 

 

 

Igatpuri Incident ઈગતપુરીના ભાવલી ધોધ પર પ્રવાસી પરિવાર પર જીવલેણ હુમલો અને મહિલાની છેડતી; ૭ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ
Ketan Agrawal Murder Case “જે પુત્રના લગ્નના સપના જોયા, તેના જ અંતિમ સંસ્કાર કર્યા…” કેતન અગ્રવાલ હત્યાકાંડમાં માતાનો આક્રંદ!
Ambalal Patel Weather Forecast Stop ‘જાથા’ સામે ઝૂક્યા કે આત્મસન્માનને ઠેસ?! હવે આગાહીઓ નહીં કરે અંબાલાલ.. આગાહીકારે કેમ લીધો આકરો નિર્ણય!
Youngest Guinness World Record Robotics આંગળીથી અડધા સાઈઝનો રોબોટિક આર્મ બનાવ્યો, નાગપુરના 17 વર્ષના છોકરાનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ!
Exit mobile version