Site icon

ગરીબના મુખ માં જવાના સ્થાને મુંબઈમાં ત્રણ લાખ કિલો દાળ સડી ગઈ. ભાજપના ધારાસભ્ય નો ગંભીર આરોપ.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૬ એપ્રિલ 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

મુંબઈ શહેર ના મુલુંડ વિસ્તારના ધારાસભ્ય મિહિર કોટેચાએ મોજુદા ઠાકરે સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. મુલુંડ ખાતે આવેલી એક દુકાનમાં તેમણે મુલાકાત કરી હતી આ દુકાનમાં આશરે 1700 કિલો જેટલી પીળી દાળ માં કીડા પડી ગયા છે. આ સિવાય તેમણે મુંબઈ શહેરના અલગ-અલગ વિસ્તારમાં આવેલી રેશનિંગની દુકાનો માં આશરે ત્રણ લાખ કિલો જેટલી પીળી દાળ સડી ગઇ હોવાનો દાવો કર્યો છે. 

મીડિયાને આપેલા નિવેદનમાં તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકારે ગત વર્ષે ગરીબોને વહેંચણી માટે અનાજ મોકલાવ્યું હતું. આ અનાજ રાજ્ય સરકારે ગરીબોમાં વિતરિત કરવાના સ્થાને પડ્યું રહેવા દીધું અને હવે તે સડી ગયું છે.

ઉલ્લેખનીય છે કે ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્ર સરકારને પત્ર લખીને રાજ્યના લોકોની મદદ માટે સહાયતા માંગી છે. પરંતુ રાજ્ય સરકાર પોતે લોકોને મફતમાં અનાજ આપવામાં નિષ્ફળ રહી છે તેવું આ ઉદાહરણ પરથી લાગી રહ્યું છે.

મુંબઈમાં હજારો ઇમારતો એક જ દિવસમાં થઈ સીલ. ૨૧ લાખ લોકો ચાર દીવાલમાં કેદ

Pune LPG Cylinder Booking Rules: પુણેવાસીઓ સાવધાન! હવે LPG સિલિન્ડર માટે લાગુ થયો નવો નિયમ; બીજા રિફિલ માટે જોવી પડશે આટલા દિવસ સુધી રાહ.
LPG Price Hike Update: મોંઘવારીનો ડબલ ડોઝ ગેસના ભાવમાં તોતિંગ વધારો! રસોડાથી લઈને રસ્તા સુધી દેખાશે અસર; જાણો આજના નવા રેટ
Nylon Manja Ban: નાયલોન માંજાનો જીવલેણ ખેલ હવે નહીં ચાલે! બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકાર પાસે માંગ્યો એક્શન પ્લાન; પ્રતિબંધના કડક અમલ માટે ૪ સપ્તાહની ડેડલાઈન
Pune Investment Fraud: પુણેમાં રોકાણકારો સાથે ₹4 કરોડની છેતરપિંડી: શેરબજાર અને ભિશીના નામે ઊંચા વળતરની લાલચ આપી એક મહિલા સહિત 4 સામે ગુનો દાખલ
Exit mobile version