Site icon

મહારાષ્ટ્ર રાજ્ય બોર્ડનો મોટો નિર્ણય; આ રીતે થશે દસમાના વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન, જાણો વિગત…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૮ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

શુક્રવાર

મહારાષ્ટ્રના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણપ્રધાન વર્ષા ગાયકવાડે આજે દસમા ધોરણના વિદ્યાર્થીઓના મૂલ્યાંકન વિશે જાહેરાત કરી છે. આ વિગતો જાહેર કરવામ માટે યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે “શાળાઓ દ્વારા લેવામાં આવેલી ધોરણ 9 અને 10ની પરીક્ષાઓમાં તેમના પ્રદર્શનના આધારે ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓને ગુણ આપવામાં આવશે.”

આ અંતર્ગત લેખિત પરીક્ષામાં 30 ગુણ, ગૃહકાર્ય અને પ્રોજેક્ટના 20 ગુણ અને બાકીના 50 ગુણ વિદ્યાર્થીએ  નવમા ધોરણમાં મેળવેલા ગુણ પર આધારિત હશે. જૂન મહિનાના અંત સુધીમાં પરિણામ જાહેર કરવાની અપેક્ષા ગાયકવાડે દર્શાવી હતી. જે વિદ્યાર્થીઓ પરિણામથી સંતુષ્ટ ન હોય તેમને કોરોનાની સ્થિતિ સામાન્ય થયા બાદ પરીક્ષા આપવાનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે.

જોખમ : મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ તો ઘટ્યા, પણ આ 12 જિલ્લામાં કોરોનાનો મૃત્યુદર બમણો થયો; જાણો વિગતે

ઉપરાંત કૉલેજમાં ઍડ્મિશન માટે કૉલેજ એન્ટરન્સ ટેસ્ટ (સીઈટી)નો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે. આ પરીક્ષામાં 10 ધોરણના પાઠ્યક્રમ આધારિત સવાલો પુછાશે. આ પરીક્ષા ૧૦૦ માર્કની હશે, જેમાં મલ્ટિપલ ચૉઇસ ક્વેશ્ચન (MCQ) જ પૂછવામાં આવશે.

Bhuj railway station redevelopment: નવા ભુજ રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે*
Vande Mataram: CM યોગીનો મોટો નિર્ણય: યુપીની તમામ સરકારી શાળાઓમાં હવે ‘વંદે માતરમ’ ગાવું ફરજિયાત!
Ajit Pawar: અજિત પવારના પુત્રના જમીન વિવાદ પર એકનાથ શિંદેનું મોટું નિવેદન, ‘જે પણ પડકારો આવશે, અમે…’
New Criminal Laws: નવા ફોજદારી કાયદાઓના અમલવારીમાં મહારાષ્ટ્ર અગ્રેસર
Exit mobile version