Site icon News Continuous Bureau | Mumbai

મણિપુરમાં મોટો ઉગ્રવાદી હુમલો, આસામ રાઇફલના ઓફિસરની પત્ની-બાળક સહિત આટલા જવાનોના મોત; સર્ચ ઓપરેશન ચાલુ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 13 નવેમ્બર  2021 

Join Our WhatsApp Channel

શનિવાર.

મણિપુરમાં આસામ રાઈફલ્સના કમાન્ડિંગ ઓફિસર અને તેમના પરિવાર પર આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, 46 આસામ રાઈફલ્સના કમાન્ડિંગ ઓફિસર તેમના પરિવાર અને QRT સાથે જઈ રહ્યા હતા, ત્યારે આતંકવાદીઓએ તેમના કાફલા પર હુમલો કર્યો.

આ ઘટનામાં કમાન્ડિંગ ઓફિસરની પત્ની અને એક બાળક તથા QRTમાં તૈનાત 7 જવાનોના મોત થયા છે. 

ઘટના બાદ સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે 

જો કે હાલમાં આ અંગે સેના તરફથી સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.

મણિપુરના મુખ્ય પ્રધાન નોંગથોમ્બમ બિરેન સિંહે હુમલાની સખત નિંદા કરી અને કહ્યું કે આવા કાયરતાપૂર્ણ કૃત્યને બક્ષવામાં આવશે નહીં. તે દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે તમામ પ્રયાસ કરશે.

ભોપાલના આ રેલવે સ્ટેશનનું નામ બદલાશે, કેન્દ્રને મોકલવામાં આવ્યો પ્રસ્તાવ; જાણો વિગતે 

Supreme Court Judges Salary Shiv Sena Bench શિવસેના સુનાવણીના ૩ ન્યાયાધીશોનો પગાર કેટલો? આંકડો જોઈને થઈ જશો આશ્ચર્યચકિત…
Gujarat Leads in Organ Donation અંગદાન ક્ષેત્રે ગુજરાત દેશભરમાં અવ્વલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ‘વિશ્વ અંગદાન દિવસ’ની ઉજવણી સાથે “અમરગાથા” પુસ્તકનું વિમોચન
Shiv Sena Name & Symbol Dispute શિવસેના પક્ષ અને ચિહ્ન વિવાદ ‘ચૂંટણી આયોગ શિંદે જૂથને ધનુષબાણ ચિહ્ન ન આપી શકે’, કપિલ સિબ્બલની સુપ્રીમ કોર્ટમાં દલીલ
Eknath Shinde Disqualification Plea શું એકનાથ શિંદે ઠરશે ગેરલાયક? સુપ્રીમ કોર્ટમાં કપિલ સિબ્બલનો મોટો યુક્તિવાદ, ચૂંટણી આયોગની ભૂમિકા પર સવાલ
Exit mobile version