Site icon News Continuous Bureau | Mumbai

‘મેટ્રો મેન’ ઇ શ્રીધરને સક્રિય રાજકારણને કહ્યું અલવિદા, જણાવ્યો આગળ શું છે પ્લાન

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 16 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

ગુરુવાર. 

મેટ્રો મેન તરીકે જાણીતા ઇ શ્રીધરને સક્રિય રાજકારણ છોડવાનો નિર્ણય લીધો છે. 

આજે એક ચોંકાવનારી જાહેરાત કરતા શ્રીધરને કહ્યું કે તેઓ હવે સક્રિય રાજકારણ છોડી રહ્યા છે.

પોતાના હોમ ટાઉન મલપ્પુરમમાં પત્રકારો સાથે વાત કરતા શ્રીધરને કહ્યું, ઘણા લોકો નથી જાણતા કે હું 90 વર્ષનો છું. હું હજુ પણ કામ કરવાનું વિચારી રહ્યો છું. 

સાથે તેમણે એમ પણ કહ્યું કે સક્રિય રાજકારણ છોડવાનો અર્થ એ નથી કે હું રાજકારણમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું.

ઉલ્લેખનીય છે કે E શ્રીધરનને કેરળ વિધાનસભા ચૂંટણી 2021માં બીજેપી સીએમના ચહેરા તરીકે મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. પરંતુ કેરળ વિધાનસભા ચૂંટણીમાં, તેઓ પલક્કડ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને વર્તમાન ધારાસભ્ય શફી પારંબિલ સામે 3,859 મતોથી હારી ગયા હતા.

 

Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Exit mobile version