Site icon

મની લોન્ડરિંગ કેસમાં મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને કોઈ રાહત નહીં, આ તારીખ સુધી EDની કસ્ટડી લંબાવાઈ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 12 નવેમ્બર, 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

મની લોન્ડરિંગ કેસમાં મુશ્કેલીનો સામનો કરી રહેલા મહારાષ્ટ્રના પૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખને આજે કોર્ટમાંથી રાહત મળી નથી

પ્રાપ્ત જાણકારી મુજબ કોર્ટે અનિલ દેશમુખની ED કસ્ટડી 15 નવેમ્બર સુધી લંબાવી છે.

આ ઉપરાંત મની લોન્ડરિંગ કેસમાં અનિલ દેશમુખના પુત્ર હૃષિકેશ દેશમુખની ધરપકડ પહેલા જામીન અરજી પરની સુનાવણી પણ 20 નવેમ્બર સુધી ટાળી દેવામાં આવી છે.

અગાઉ બોમ્બે હાઈકોર્ટે અનિલ દેશમુખને 12 નવેમ્બર સુધી ED કસ્ટડીમાં મોકલી દીધા હતા, જે PMLA કોર્ટે શુક્રવારે 15 નવેમ્બર સુધી કરી દીધી છે.   

ઉલ્લેખનીય છે કે, અનિલ દેશમુખની ગયા અઠવાડિયે ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદ PMLA કોર્ટે જ તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા હતા. પરંતુ હાઈકોર્ટે તે આદેશને રદ કરીને અનિલ દેશમુખને 12 નવેમ્બર સુધી ED કસ્ટડીમાં મોકલી દીધા હતા.

T20 World Cup: જીત બાદ લગ્નમાં આવેલા નારાજ ફૂવાની જેમ બેઠો રહ્યો આ ખેલાડી, તસવીર વાયરલ થતા આપ્યો આ જવાબ; જાણો વિગતે
 

Ashish Shelar: મનસે, ફરી મુસ્લિમ મતદારોની અવગણના કરે છે*
Elections: રાજકારણ ગરમાયું! ચૂંટણી પંચ કરશે રાજ્યમાં ચૂંટણીઓની જાહેરાત, પરંતુ શરૂઆત કયા જિલ્લાથી?
Transport Department: ટ્રાફિકની સમસ્યા થશે હળવી! પરિવહન વિભાગે જાહેર વાહનો માટે સ્વતંત્ર પાર્કિંગ ઝોન બનાવવાનો નિર્ણય લીધો
Weather Update: હવામાન અપડેટ: અરબી સમુદ્રમાં ઓછું દબાણનું ક્ષેત્ર વિખરાયું, હવે ઠંડીનું આગમન ક્યારે?
Exit mobile version