Site icon

પંજાબ કોંગ્રેસમાં કકળાટ વધ્યો, કેપ્ટન બાદ હવે પ્રદેશ અધ્યક્ષ પદેથી નવજોતસિંહ સિદ્ધુએ આ કારણે આપ્યું રાજીનામું; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 28 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

મંગળવાર

પંજાબ કોંગ્રેસમાં ફરી એક વાર હોબાળો શરૂ થયો છે. 

પંજાબ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદેથી નવજોત સિંહ સિદ્ધુએ રાજીનામું આપી દીધું છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ મંગળવારે (આજે) નવજોત સિંહ સિદ્ધુએ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામુ સોનિયા ગાંધીને મોકલી આપ્યુ છે.

સિદ્ધુએ કહ્યું છે કે, મેં અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું છે પરંતુ કોંગ્રેસ માટે કામ કરતો રહીશ.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, પંજાબમાં બનેલી નવી સરકાર પછી નવા મંત્રીમંડળની રચના અને તેમને ખાતાઓની ફાળવણી અંગે વિશ્વાસમાં લેવામાં ન આવતાં તેઓ નારાજ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

આ કારણે તેમને રાજીનામું આપ્યું હોવાની ચર્ચા છે. તેમના રાજીનામાને કારણે ફરી એકવાર પંજાબનું રાજકારણ ગરમાયું છે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા જ સિદ્ધુને પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. આ મુદ્દે પંજાબના પૂર્વ સીએમ કેપ્ટન અમરિદંર સિંહ અને સિદ્ધુ વચ્ચે વિવાદ થયો હતો.

કોંગ્રેસ દ્ધિધામાં: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે કરશે મુલાકાત અમરિંદર સિંહ, પંજાબના રાજકારણમાં કંઇક મોટું થવાની સંભાવના

Indian Railway: સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
Shri Tuljabhavani Navratri: મહારાષ્ટ્ર સરકારે શ્રી તુળજાભવાની નવરાત્રિ મહોત્સવને ‘મુખ્ય મહોત્સવ’નો દરજ્જો આપ્યો, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો થશે.
Supreme Court order: 31 જાન્યુઆરી 2026 સુધીમાં મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી
Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીરમાં આટલા ટકા થી વધુ મહિલાઓ છે અપરિણીત, જાણો તેની પાછળના કારણો
Exit mobile version