News Continuous Bureau | Mumbai
પાંચ રાજ્યોની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ કોંગ્રેસ પરિવર્તનના સમયગાળામાંથી પસાર થઈ રહી છે.
આ પ્રકરણમાં પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોતસિંહ સિદ્ધુએ આજે પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે.
તેમણે રાજીનામામાં માત્ર પાંચ જ શબ્દો લખ્યા છે. તેમણે લખ્યું છે કે, 'I hereby resign as President of PPCC.'
એટલે કે હું પીપીસીસીના પ્રેસિડેન્ટ પદ પરથી રાજીનામું આપી રહ્યો છું.
ઉલ્લેખનીય છે કે પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરના PCC પ્રમુખોના રાજીનામા માગી લીધા હતા.
આ સમાચાર પણ વાંચો :મનસે ફરી આક્રમક, મુંબઈની IPLની બસની કરી આ કારણથી તોડફોડ; જાણો વિગતે…
