Site icon

નીતિ આયોગના રિપોર્ટ મુજબ ગુજરાતમાં હજી પણ 18 ટકા લોકો ગરીબી રેખા નીચે જીવે છે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 27 નવેમ્બર  2021

Join Our WhatsApp Community

શનિવાર.

નીતિ આોગના રિપોર્ટ અનુસાર ભારતનું સૌથી ગરીબ રાજ્ય બિહાર છે. જ્યારે તેના પછી ઝારખંડ આવે છે. બિહારમાં કુલ 51.29 ટકા લોકો ગરીબ છે કે એટલે કે બિહારની અડધા કરતા પણ વધારે વસ્તી ગીરીબી રેખા નીચે જીવી રહી છે. જ્યારે ઝારખંડમાં 41.26 ટકા લોકો ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે ગુજરાતમાં મહારાષ્ટ્ર, તમિલનાડુ, અને જમ્મુ કાશ્મીર કરતા પણ વધારે ગીરીબીનું પ્રમાણ છે. જેમા ડાંગ, દાહોદ, પંચમહાલ અને નર્મદા જિલ્લામાં સૌથી વધુ ગીરીબી છે. જોકે ગુજરાતના અમદાવાદ જિલ્લામાં ગરીબીનું પ્રમાણ સૌથી ઓછું છે. ગુજરાતમાં 2.11 કરોડો લોકોને ત્યા તો રસોઈ માટે ઈંધણ કે લાકડા પણ નથી સાથે જ સાંભળીને આપને નવાઈ લાગશે કે ગુજરાતના 1.56 કરોડ  લોકો પાસે શૌચાલય પણ નથી. ઉપરાંત 32.60 લાખ લોકોને પીવાના પાણી માટે પણ રઝળવું પડે છે. 2.49 કરોડ પરિવાર એવા છે જેમને પોષણક્ષમ ખોરાક નથી મળતો. છેલ્લા 5 વર્ષની જો વાત કરવામાં આવે તો 2.21 ટકા લોકો એવા હતા જેમના મૃત્યુ 18 વર્ષથી ઓછી ઉંમરે થયા હતા. ઉપરાંત 31.39 લાખ લોકો એવા છે એક વાર પણ શાળાએ પણ નથી ગયા. 

ગુજરાતમાં ડિસેમ્બર અને જાન્યુઆરીમાં કાતિલ ઠંડી નો ચમકારો આવશે
 

Thane Metro: થાણેમાં સોમવારે દોડશે મેટ્રો! આ 10 સ્ટેશનો પર ટ્રાયલ રન, એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ માહિતી.
Panipuri controversy: પાણીપુરીવાળા સામે મહિલા એ રસ્તા વચ્ચે કર્યું એવું કામ કે વિડીયો એ મચાવી સોશિયલ મીડિયા પર ધૂમ
Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Exit mobile version