Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના રાજકારણમાં નવા-જૂનીના એંધાણ, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મનસેના વડા રાજ ઠાકરે સાથે કરી મુલાકાત, કહી આ વાત

 News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના રાજકારણમાં નવા-જૂનીના એંધાણ જોવા મળી રહ્યા છે.

Join Our WhatsApp Channel

કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ રવિવારે મોડી રાત્રે મુંબઈમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે સાથે મુલાકાત કરી.

જોકે નીતિન ગડકરીએ આ બેઠક પાછળ પણ કેટલાક રાજનૈતિક કારણ હોવાની વાતને ફગાવતા આને એક પારિવારિક બેઠક જણાવી.

આ મુલાકાત બાદ સંવાદદાતાઓ સાથે વાતચીતમાં ગડકરીએ મનસે પ્રમુખના પરિવાર સાથે પોતાના જૂના સંબંધો તરફ ઇશારો કરતા કહ્યું કે તેઓ તેમના આમંત્રણ પર તેમના ઘરે ગયા હતા.

નોંધનીય છે કે, આ બેઠક રાજ ઠાકરેના નિવેદનના એક દિવસ બાદ કરવામાં આવી હતી. જેમાં MNS પ્રમુખે મહારાષ્ટ્ર સરકારને મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવા કહ્યું હતું અને ચેતવણી આપી હતી કે, મસ્જિદોમાંથી લાઉડસ્પીકર નહીં હટાવવામાં આવે તો મસ્જિદોની બહાર સ્પીકર પર વધુ મોટા અવાજમાં હનુમાન ચાલીસા વગાડવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રના આ ગામમાં આકાશમાંથી પડ્યા ગગનગોળા અને લોખંડની રિંગ, જુઓ વિડિયો, જાણો વિગતે

Massive Drug Bust at Bengaluru Airport બેંગલુરુ એરપોર્ટ પર કસ્ટમ વિભાગની મોટી કાર્યવાહી 13.14 કરોડનું હાઈડ્રોપોનિક કેનાબીસ ઝડપાયું
KanjurmargBadlapur Metro14 મુંબઈગરા માટે ખુશખબર કાંજુરમાર્ગબદલાપુર મેટ્રો14 પ્રોજેક્ટને મળી મંજૂરી, મુસાફરી થશે સરળ
Bhimashankar Temple Reopens ભીમાશંકર મહાદેવના કપાટ ૫ મહિના બાદ ફરી ખુલ્યા, પ્રશાસને ભક્તોની સુરક્ષા માટે લીધા આ ૫ મોટા નિર્ણયો
Monsoon Update મહારાષ્ટ્રમાં ચોમાસું પાછું ઠેલાયું હવામાન વિભાગે જાહેર કર્યું નવું એલર્ટ, જાણો હવે કઈ તારીખથી શરૂ થશે ધોધમાર વરસાદ
Exit mobile version