Site icon

મુંબઈ, ગુજરાત અને કર્ણાટક પછી દિલ્હીમાં ઓમિક્રોનનો પહેલો કેસ સામે આવ્યો. જાણો વિગત…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 6 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

સોમવાર 

 ભારતમાં કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટના ૫ દર્દીઓ છે. જેમાંથી બે કર્ણાટકના, એક ગુજરાતનો અને એક મહારાષ્ટ્રનો છે. આ પછી હવે દિલ્હીમાં પાંચમો દર્દી મળી આવ્યો છે. દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું કે અત્યાર સુધીમાં કુલ ૧૭ લોકો જેઓ વિદેશથી આવ્યા હતા અને કોરોના પોઝિટિવ મળ્યા છે તેમને ન્દ્ગત્નઁ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જણાવી દઈએ કે દિલ્હી સરકારે એલએનજેપીને કોરોનાની મુખ્ય હોસ્પિટલ જાહેર કરી છે. સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું કે વિદેશથી આવેલા ૧૨ લોકોના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે. જેમાંથી ૧૧ લોકોમાં સામાન્ય કોરોના છે, પરંતુ ૧૨મો વ્યક્તિ ઓમિક્રોન પોઝીટીવ છે. આ વ્યક્તિ આફ્રિકન દેશ તાન્ઝાનિયાથી ભારત આવ્યો હતો. આ વ્યક્તિ સાથે સંકળાયેલા ૬ લોકોના સેમ્પલનું જીનોમ સિક્વન્સિંગ પણ કરવામાં આવ્યું હતું.મહારાષ્ટ્રમાં ઓમિક્રોન વેરિઅન્ટનો પહેલો કેસ મળ્યા બાદ રાજ્ય સરકાર એલર્ટ મોડ પર આવી ગઈ છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે રવિવારે આ સંદર્ભમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજવાના છે. મીટિંગમાં ઓમિક્રોનના આ નવા ખતરાનો સામનો કરવા માટે વધુ વ્યૂહરચના પર ચર્ચા કરવામાં આવશે. આ દરમિયાન સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ મહારાષ્ટ્રના લોકોને ગભરાવાની જગ્યાએ કોરોના નિયમોનંે પાલન કરવાની અપીલ કરી છે મહારાષ્ટ્રમાં ઓમિક્રોન વેરિએન્ટનો એક કેસ છે અને દેશમાં અત્યાર સુધીમાં પાંચ ઓમિક્રોન વેરિએન્ટના ચેપગ્રસ્ત દર્દીઓ મળી આવ્યા છે. કર્ણાટકમાં ઓમિક્રોનથી સંક્રમિત બે દર્દીઓ મળી આવ્યા હતા. આ પછી, શનિવારે ગુજરાતના જામનગરમાં એક વૃદ્ધ વ્યક્તિને ઓમિક્રોન વેરિએન્ટથી ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ થઈ હતી. હવે આજે દિલ્હીથી મોકલેલા ૧૨ લોકોના સેમ્પલમાંથી જીનોમ સિક્વન્સિંગ થતા એક વ્યક્તિ ઓમિક્રોન સંક્રમિત થયો છે અને આમ કુલ કેસ ૫ થયા છે.દેશની રાજધાની દિલ્હીમાં પણ ઓમિક્રોનનો એક દર્દી મળી આવ્યો છે. દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને આ વાતની પુષ્ટિ કરી છે. આ દર્દી હાલમાં ન્દ્ગત્નઁ હોસ્પિટલમાં દાખલ છે. સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને જણાવ્યું કે વિદેશથી આવેલા ૧૨ લોકોના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા હતા. જેમાંથી ૧૧ લોકોમાં સામાન્ય કોરોના છે, પરંતુ ૧૨મો વ્યક્તિ ઓમિક્રોન પોઝીટીવ છે. આ વ્યક્તિ આફ્રિકન દેશ તાન્ઝાનિયાથી ભારત આવ્યો હતો. આ વ્યક્તિ સાથે સંકળાયેલા ૬ લોકોના સેમ્પલનું જીનોમ સિક્વન્સિંગ પણ કરવામાં આવ્યું હતુંg

Maharashtra heavy rain: પિતૃપક્ષમાં મુશળધાર વરસાદનું સંકટ, 4 જિલ્લા માટે રેડ એલર્ટ
Gujarat Maternal Mortality Rate: સેમ્પલ રજીસ્ટ્રેશન સિસ્ટમ (SRS) મુજબ રાજ્યમાં માતા મૃત્યુદર વર્ષ ૨૦૨૩માં પ્રતિ એક લાખ જીવિત જન્મે ૫૧ થયો
Ahmednagar: અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલીને ‘અહિલ્યાનગર’ કરાયું
Gujarat CM Bhupendra Patel: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સેવા દાયિત્વના ચાર વર્ષ
Exit mobile version