Site icon

હવે ડુંગળીના ઉત્પાદકોનો રોવાનો વારોઃ 5 જૂનના નાશિકમાં કાંદા પરિષદ.. જાણો વિગતે

 

News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Community

ડુંગળીના ભાવ(Onion prices) સામાન્ય રીતે  ગ્રાહકોને રડાવે છે પણ હવે રોવાનો વખત કાંદાના ઉત્પાદકોને આવ્યો છે. મહારાષ્ટ્રમાં હાલ ડુંગળીનું વાવેતર (Onion planting) કરનારા મુશ્કેલીમાં મુકાયા છે. 

ડુંગળીને ખૂબ ઓછા દરો મળતાં, ઉત્પાદન ખર્ચ(Production costs) મુશ્કેલ બન્યો છે. આ મુદ્દા પર રાજ્યના જુદાં જુદાં ખેડુતોના સંગઠનો(Farmers Association) આક્રમક બન્યા છે. તેમાં હવે રાયત ક્રાંતી સંગઠનના વડા સદાભાઉ ખોત(Sadabhau Khot) દ્વારા પણ રાજ્ય સરકારને ચેતવણી આપવામાં આવી  છે.

સદાભાઉ ખોતે સરકારને ચેતવણી આપતા કહ્યું છે કે ખેડુતોની આંખમાં આવનારા દરેક આંસુની કિંમત સરકારે ચૂકવવી પડશે. પોતાનો આક્રોશ રાજ્ય સરકાર સુધી પહોંચાડવા માટે 5 જૂને, ડુંગળીના ઉત્પાદકોએ ડુંગળીની પરિષદનું આયોજન કર્યું છે.

આ સમાચાર પણ વાંચો :  કેરળમાં મેઘરાજાની પધરામણી, નિર્ધારિત સમય કરતા ત્રણ દિવસ વહેલું આગમન; હવામાન વિભાગે કરી આ આગાહી 

નાશિક જિલ્લાના(Nashik district) ખેડૂતોએ  5 જૂન, 2022 ના રોજ નાશિક જિલ્લાના નિફાડ તાલુકાના રુઇ ગામમાં ડુંગળીના ઉત્પાદકોનું એક ગ્રાન્ડ ડુંગળી પરિષદનું આયોજન કર્યું છે. રાજ્યના ભૂતપૂર્વ રાજ્ય પ્રધાનના ધારાસભ્ય સદાભાઉ ખોત અને ભૂતપૂર્વ નાણાપ્રધાન સુધીર મુંગંતીવર આ પરિષદમાં હાજર રહેવાના છે.

હાલમાં ડુંગળીની કિંમતો 1 રૂપિયાથી 3 રૂપિયા છે. તેથી, ડુંગળી ઉત્પાદકો મુશ્કેલીમાં છે. કેટલાક સ્થળોએ ડુંગળીનું ઉત્પાદન કરનારા ખેડૂતોએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હોવાનું કહેવાય છે.
 

Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Exit mobile version