Site icon

15 દિવસ માં મહારાષ્ટ્ર માં કોરોના ના બમણા કેસ: તંત્ર એલર્ટ.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

11 માર્ચ 2021

મહારાષ્ટ્રમાં સૌથી ઝડપી ગતિએ કોરોના ચેપ વધી રહ્યો છે. રાજ્યમાં કોરોનાના દર્દીઓ માં ફરી ભયંકર વધારો નોંધાયો  છે. અહીં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 13,659 કેસ નોંધાયા છે અને 54 દર્દીના મોત નિપજ્યા છે. જ્યારે 9913 દર્દી સાજા થયા  છે અને રાજ્યમાં હાલ કોરોનાના 99,008 એક્ટિવ કેસ છે.

ઉલેખનીય છે કે 7 ઓક્ટોબર પછીનો આ સૌથી મોટો આંકડો છે. તે દિવસે 14,578 કેસ નોંધાયા હતા. લગભગ 15 દિવસ પહેલા સુધી અહીં 5-6 હજાર કેસ આવતા હતા. દેશમાં અત્યારે 60% થી વધુ દર્દીઓ મહારાષ્ટ્ર ના છે.

મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 22,52,057 કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે. એટલે કે દર્દીનું પ્રમાણ રાજ્યમાં 13.16  ટકા છે. અને મરણાંક 52,610 થયો છે. આથી દર્દીનું મરણાંક પ્રમાણ 2.34 ટકા થયું છે. જ્યારે રાજ્યમાં  કોરોનાથી રિકવર થવાનું પ્રમાણ 93.21 ટકા છે. એટલે કે આજ દિન સુધી 20,99,207 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. 

Indian Railways: મંત્રીમંડળે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત અને છત્તીસગઢના 18 જિલ્લાઓને આવરી લેતા ચાર મલ્ટીટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી, જેનાથી ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં લગભગ 894 કિલોમીટરનો વધારો થશે
Western Railway: પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળ; નવા કીર્તિમાન રચતા નિરંતર પ્રગતિ પર
Bihar Elections: બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખો થઇ જાહેર, જાણો કયા જિલ્લામાં ક્યારે થશે મતદાન, સંપૂર્ણ વિગતો
Mumbai Mayor: મનસે કે ઠાકરે સેના; મુંબઈમાં કોણ બનશે મેયર? સંજય રાઉતે જણાવી વ્યૂહરચના
Exit mobile version