Site icon News Continuous Bureau | Mumbai

ગજબ કહેવાય!! તિરુપતિ બાલાજીના ચરણોમાં આવેલા દાને આટલા હજાર વર્ષનો રેકોર્ડ તોડ્યોઃ ભક્તોનું વિક્રમી દાન.. જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 19 ફેબ્રુઆરી 2022,          

Join Our WhatsApp Channel

શનિવાર, 

આંધ્ર પ્રદેશમા આવેલા પ્રખ્યાત તિરુપતી બાલાજી દેશનું સૌથી શ્રીમંત દેવસ્થાનોમાનું એક ગણાય છે. બાધા પૂરી થતા જ ભક્તો અહીં તિરુપતિ બાલાજીના ચરણોમાં સોના-ચાંદીના દાગીના અને લાખો રૂપિયાનું દાન કરતા હોય છે. ભગવાન વ્યંકટેશ્ર્વરના આ પ્રસિદ્ધ મંદિરમાં એક જ દિવસમાં 84 કરોડ રૂપિયાનું દાન આવ્યું છે. ચર્ચા મુજબ બે હજાર વર્ષના ઈતિહાસમાં પહેલી વખત એક જ દિવસમાં આટલું મોટું દાન તિરુપતિ બાલાજીના ચરણોમાં આવ્યું છે.

તિરુપતિ બાલાજી મંદિરના મેનેજેન્ટના કહેવા મુજબ તિરુપતિ બાલાજીના 70 ભક્તે લગભગ 84 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. આ તમામ ભક્તોને મંદિર સંસ્થા તરફથી એક વિશેષાધિકાર તરીકે સેવા ટિકિટ મફત આપવામાં આવી છે. 

તિરુપતિ ટ્રસ્ટ હાલ 230 કરોડ રૂપિયાના ખર્ચે શ્રી પદ્માવતી બાલરોગ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની સ્થાપના કરવાનું છે, તે માટે તે ભંડોળ ભેગુ કરી રહ્યું છે, જે હેઠળ આ યોજના ચાલુ કરવામાં આવી છે.

વાહ!!! મુંબઈના હોટસ્પોટ રહેલા આ વિસ્તારોમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનો એકેય કેસ ના નોંધાયો.જાણો વિગત

આ હોસ્પિટલમાં દરિદ્ર રેખાની નીચે રહેલા બાળકો પર મફતમાં હૃદયના ઓપરેશન કરવામાં આવશે. રોજના 100 મફત ઓપરેશન કરવાનું લક્ષ્યાંક છે.

શ્રી પદ્માવતી બાલરોગ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની સ્થાપના માટે ચાલુ કરવામાં આવેલી યોજના માટે તિરુપતી ટ્રસ્ટે 531 સ્પેશિયલ ટિકિટ બાજુએ રાખી છે. આ યોજના હેઠળ 28 ભક્ત અને અમુક કંપનીઓએ દોડ કરોડ રૂપિયાનું દાન કર્યું છે. આ પ્રકારે પહેલા જ દિવસે તિરુપતીને વિક્રમી 84 કરોડ રૂપિયાનું દાન આવ્યું છે.

આ પહેલા તિરુપતિ બાલાજીને 2018માં સૌથી વધુ દાન મળ્યું હતું. 2018માં એક જ દિવસમાં ભક્તે તિરુપતિ બાલાજીના ચરણોમાં 6.28 કરોડ રૂપિયાનું દાન અર્પણ કર્યું હતું, જે એક વિક્રમ હતો. આ અગાઉ 2013માં એક ભક્તે 5.73 કરોડ રૂપિયાનું દાન કર્યું હતું.

પેટ્રોલ-ડીઝલમાં મળશે રાહત? ક્રૂડની કિંમતમાં આવી નરમાશ; આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ આટલા ડોલર ઘટ્યા… 

Manipur Violence મણિપુરમાં ભારે બબાલ 6 લોકોની ઘાતકી હત્યા, મૃતદેહ જોઈને લોકો ધ્રુજી ઉઠ્યા
Ferry Boat Service Suspended ચોમાસામાં ખાસ ફેરીબોટ સેવા બંધ; 15 જૂનથી 31 જુલાઈ સુધી પ્રવાસ ઠપ્પ
IMD Monsoon Update Maharashtra મહારાષ્ટ્રમાં ચોમાસા પર લાગી બ્રેક સોલાપુરહર્ણેમાં પવનો થંભી જતાં ખેડૂતો ચિંતિત, વાવણી ખોરવાઈ!
Maharashtra Politics Shocker ઠાકરે જૂથમાં ફરી મોટું ગાબડું પડવાની તૈયારીમાં? ૭ સાંસદોના પક્ષપલટાની ચર્ચાથી મુંબઈ સુધી દોડધામ!
Exit mobile version