Site icon News Continuous Bureau | Mumbai

ત્રિપુરા હિંસાચારના પડધાઃ મહારાષ્ટ્ર હજી અશાંત. મુંબઈના આ વિસ્તારોમાં પોલીસ માર્ચ; જાણો વિગત.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 15 નવેમ્બર  2021 
સોમવાર.

ત્રિપુરામાં ગયા મહિનામાં થયેલા હિંસાચારના પડઘા રહી રહીને મહારાષ્ટ્રમા જોવા મળી રહ્યા છે. રાજયના અમરાવતી, નાંદેડ, ભીવંડી, માલેગાંવ જેવા વિસ્તારમાં ફાટી નીકળેલી હિંસાને નિયંત્રણમાં લાવવામાં સફળતા મળી છે. જોકે અમુક વિસ્તારમાં પરિસ્થિતિ હજી તણાવપૂર્ણ છે. હિંસાચારના બનાવમાં પોલીસ સહિત અનેક લોકો જખમી થયા હતા. તો મોટા પ્રમાણમાં દુકાનમાં તોડફોડ અને વાહનોને બાળવાના બનાવ બન્યા હતા. મુંબઈના પણ અમુક વિસ્તારમાં તેની અસર જોવા મળી હતી. તેથી મુંબઈના સંવેદનશીલ વિસ્તારને લઈને પોલીસ એલર્ટ થઈ ગઈ છે. રવિવારે પોલીસે  માનર્ખુદમાં લલ્લુભાઈ કમ્પાઉન્ડથી મંડાલા સુધીના સંવેદનશીલ વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે માર્ચ કરી હતી, જેમાં માનર્ખુદ પોલીસના આઠ અધિકારી અને 51 કોન્સ્ટેબલ જોડાયા હતા. એ સિવાય વિક્રોલી(વેસ્ટ)ના અમુક સંવેદનશીલ વિસ્તારમાં પણ પોલીસે માર્ચ કરી હતી.

Join Our WhatsApp Channel

ગુજરાતમાં ધમધમ્યો ડ્રગ્સનો વેપાર? દેવભૂમિ દ્વારકા બાદ હવે મોરબીમાંથી પકડાયું આટલા કિલો હેરોઈન, 2ની ધરપકડ; જાણો વિગતે
 

Kalyan Teacher Murder Case મિલકત પચાવી પાડવાના મોહમાં શિક્ષિકાની નિર્મમ હત્યા, વસિયતનામા પર બળજબરીથી સહીઓ કરાવી..
Kalyan Youth Murder કલ્યાણમાં ૨૮ વર્ષીય યુવકની ૧૬ ઘા ઝીંકી હત્યા, ક્રાઇમ બ્રાન્ચે ૩૬ કલાકમાં ૩ આરોપીઓને દબોચ્યા
Thane Youth Murder લોજમાં ચારિત્ર્ય પર શંકા રાખી યુવતીની શ્વાસ રુંધીને હત્યા, પોલીસે માત્ર ૨ કલાકમાં આરોપી પ્રેમીને દબોચ્યો
Farmer Murder શહાપુરમાં પત્નીના પ્રેમીએ કુહાડીના ઘા ઝીંકી ખેડૂતની કરી નિર્મમ હત્યા, મૃતદેહ ખાઈમાં ફેંક્યો
Exit mobile version