Site icon News Continuous Bureau | Mumbai

ત્રિપુરા હિંસાચારના પડધાઃ મહારાષ્ટ્ર હજી અશાંત. મુંબઈના આ વિસ્તારોમાં પોલીસ માર્ચ; જાણો વિગત.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 15 નવેમ્બર  2021 
સોમવાર.

ત્રિપુરામાં ગયા મહિનામાં થયેલા હિંસાચારના પડઘા રહી રહીને મહારાષ્ટ્રમા જોવા મળી રહ્યા છે. રાજયના અમરાવતી, નાંદેડ, ભીવંડી, માલેગાંવ જેવા વિસ્તારમાં ફાટી નીકળેલી હિંસાને નિયંત્રણમાં લાવવામાં સફળતા મળી છે. જોકે અમુક વિસ્તારમાં પરિસ્થિતિ હજી તણાવપૂર્ણ છે. હિંસાચારના બનાવમાં પોલીસ સહિત અનેક લોકો જખમી થયા હતા. તો મોટા પ્રમાણમાં દુકાનમાં તોડફોડ અને વાહનોને બાળવાના બનાવ બન્યા હતા. મુંબઈના પણ અમુક વિસ્તારમાં તેની અસર જોવા મળી હતી. તેથી મુંબઈના સંવેદનશીલ વિસ્તારને લઈને પોલીસ એલર્ટ થઈ ગઈ છે. રવિવારે પોલીસે  માનર્ખુદમાં લલ્લુભાઈ કમ્પાઉન્ડથી મંડાલા સુધીના સંવેદનશીલ વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે માર્ચ કરી હતી, જેમાં માનર્ખુદ પોલીસના આઠ અધિકારી અને 51 કોન્સ્ટેબલ જોડાયા હતા. એ સિવાય વિક્રોલી(વેસ્ટ)ના અમુક સંવેદનશીલ વિસ્તારમાં પણ પોલીસે માર્ચ કરી હતી.

Join Our WhatsApp Channel

ગુજરાતમાં ધમધમ્યો ડ્રગ્સનો વેપાર? દેવભૂમિ દ્વારકા બાદ હવે મોરબીમાંથી પકડાયું આટલા કિલો હેરોઈન, 2ની ધરપકડ; જાણો વિગતે
 

El Nino Effect| ખેતી માટે કટોકટીનો સમય ‘એલ નિનો’ના પડકાર અને કમોસમી વરસાદની બેવડી માર સામે સીએમ ફડણવીસે આપ્યા ખાસ નિર્દેશો
Sahar Yunus Shaikh। OBC સર્ટિફિકેટ મામલે મુંબ્રાના કોર્પોરેટર સહર યુનુસ શેખની સ્પષ્ટતા, વિવાદ વચ્ચે જાણો શું છે સત્ય.
Maharashtra Weather। શું મુંબઈમાં પણ પડશે વરસાદ? ગરમીથી ત્રસ્ત મહારાષ્ટ્રવાસીઓ માટે આવી મોટા રાહતના સમાચાર, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
Modern Bhakti:આધ્યાત્મિકતા અને આધુનિક સંગીતનું અદભૂત મિશ્રણ
Exit mobile version