Site icon News Continuous Bureau | Mumbai

રાજકીય પક્ષની ઘોષણાની અટકળો વચ્ચે આ રાજ્યમાં 3,000 કિમી પદયાત્રાની પ્રશાંત કિશોરની જાહેરાતઃ સ્થાનિક રાજકીય પક્ષોની ચિંતામાં વધારો. જાણો વિગતે.

News Continuous Bureau | Mumbai

પોતાના પક્ષની જાહેરાતની અટકળો વચ્ચે દેશના પ્રખ્યાત રાજકીય વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે(Prashant kishor) મહાત્મા ગાંધી ના (Mahatma gandhi)જન્મદિવસથી બિહારના(Bihar) ચંપારણ્યથી 3,000 કિલોમીટરની યાત્રા શરૂ કરવાની જાહેરાત કરી છે.

Join Our WhatsApp Channel

પ્રશાંત કિશોરે આજે એક પ્રેસ કોન્ફરન્સ(Press confrence) કરી હતી તેમા તેઓએ કહ્યું હતું કે તેઓ કોઈપણ રાજકીય પક્ષની(Political party) રચના ની જાહેરાત નહીં કરે.

પ્રેસ કોન્ફરન્સમાં પ્રશાંત કિશોરે બિહારના વિકાસ પર વધુ ટિપ્પણી કરી હતી.  પ્રશાંત કિશોરે કહ્યું હતું કે બિહારમાં લાલુ પ્રસાદ યાદવ(Lalu prasad yadav) અને નીતિશ કુમાર(Nitish kumar) છેલ્લા ત્રણ દાયકાથી સત્તામાં રહ્યાં છે. પહેલા 15 વર્ષમાં લાલુ પ્રસાદ યાદવ અને બીજા 15 વર્ષમાં નીતિશ કુમાર સત્તા પર છે. લાલુ પ્રસાદ યાદવે તેમના સમર્થકોના સામાજિક ન્યાયને પ્રાધાન્ય આપીને સરકાર ચલાવી.  તેમણે આર્થિક અને સામાજિક રીતે પછાત લોકોના વિકાસ માટે કામ કર્યું. તો નીતિશ કુમારના સમર્થકોનું કહેવું છે કે અમારા સમયમાં આર્થિક વિકાસ(Economic development) અને સામાજિક મુદ્દાઓ(Social issues) પર કામ થયું છે.

લાલુ પ્રસાદ યાદવ અને નીતિશ કુમાર સમર્થકોના દાવા છતાં બિહાર છેલ્લા 30 વર્ષથી દેશનું સૌથી પછાત રાજ્ય છે. વિકાસના મામલામાં બિહાર પાછળ છે. છેલ્લા 15 વર્ષમાં બિહારની પ્રગતિની ગતિ પર નજર કરીએ તો આપણે તેના દ્વારા વિકાસના માર્ગે આગળ વધી શકતા નથી. પ્રશાંત કિશોરે કહ્યું કે જો બિહારને દેશના અગ્રણી રાજ્યોમાંનું એક બનવું હોય તો નવી વિચારસરણી અને નવા પ્રયાસોની જરૂર છે.

આ સમાચાર પણ વાંચો :  જોધપુરમાં ૧૦ વિસ્તારોમાં કર્ફ્‌યૂ લગાયો, રાજસ્થાન સીએમ અશોક ગેહલોતે બેઠક બોલાવી.

એક વ્યક્તિમાં બિહારના વિકાસ માટે નવેસરથી વિચારવાની ક્ષમતા છે. જો બિહારના લોકો તે વ્યક્તિ સાથે મળીને કામ નહીં કરે તો બિહારની સમસ્યાઓ હલ નહીં થાય. જે લોકો બિહારના મુદ્દાઓને સમજે છે, લોકો વચ્ચે કામ કરે છે, જે લોકો બિહારને બદલવા માંગે છે તેઓએ સાથે આવીને પ્રયાસ કરવો જોઈએ, એમ પ્રશાંત કિશોરે જણાવ્યું હતું.

પ્રશાંત કિશોરે મીડિયામાં એક રાજકીય પક્ષની ભવિષ્યવાણી કરી હતી, પરંતુ કહ્યું હતું કે તે આવું નહીં કરે. જો કોઈ પાર્ટી ની રચના થશે તો દરેક વ્યક્તિ તેમાં સહયોગ આપશે. આ પદયાત્રા 2 ઓક્ટોબરથી શરૂ થશે. તેમણે કહ્યું કે તે વ્યક્તિગત રીતે 3,000 કિમીની મુસાફરી કરશે.

 

MahaTET Exam પેપર લીક બાદ હવે મહારાષ્ટ્ર TET પરીક્ષા ઓનલાઈન લેવાનો નિર્ણય, IBPS ને સોંપાઈ જવાબદારી
Stray Dog રખડતા શ્વાનના આતંક પર મહારાષ્ટ્ર સરકાર ગંભીર નિયંત્રણ માટે કડક પગલાં અને નવા શેલ્ટરની કરી જાહેરાત
Eknath Shinde Health Hospitalized મહારાષ્ટ્રના વરિષ્ઠ નેતા અને ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ કરાયા
Mumbra Electrocution Incident મુંબ્રામાં કરંટ લાગતા 17 વર્ષીય યુવતીનું કરૂણ મોત, Mumbra Electrocution Incident એ તંત્રની પોલ ખોલી
Exit mobile version