Site icon News Continuous Bureau | Mumbai

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ગામના સ્ટેશનનો થયો કાયાકલ્પ; જુઓ નવા વડનગર રેલવે સ્ટેશનની અદ્ભુત તસવીરો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૫ જુલાઈ, ૨૦૨૧

Join Our WhatsApp Channel

ગુરુવાર

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 16 જુલાઈએ ગુજરાતના વડનગર રેલવે સ્ટેશનનું ડિજિટલ રૂપે ઉદ્ઘાટન કરશે. આ એ જ વડનગર રેલવે સ્ટેશન છે જ્યાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના પિતાની ચાની દુકાન પર ટ્રેનમાં ચા વેચતા હતા. હવે આ આખા રેલવે સ્ટેશનને હેરિટેજ લુક આપવામાં આવ્યો છે. આ સાથેવડા પ્રધાનના પિતાની ચાની દુકાન હજી રેલવે સ્ટેશન પર રાખવામાં આવી છે.

એ વડનગર-મોઢેરા-પાટણ હેરિટેજ સર્કિટ હેઠળ બનાવવામાં આવ્યું છે. વડનગર આ વિભાગ પરનું એક મુખ્ય સ્ટેશન છે, જે ઐતિહાસિક રીતે મહત્વપૂર્ણ શહેરનો ભાગ છે. વડનગર સ્ટેશનના બિલ્ડિંગમાં સુંદર નકશીકામ કરવામાં આવ્યું છે અને આખા વિસ્તારની સારી ડિઝાઇન કરવામાં આવી છે. પ્રવેશ અને બહાર નીકળવા માટે ભવ્ય દરવાજા સ્થાપત્યની રીતે બનાવવામાં આવ્યા છે.

બિગ બીના ઘરની બહાર લાગ્યાં અનેક પોસ્ટર્સ, મોટું દિલ રાખવાની કરાઈ માગ; જાણો શું છે સમગ્ર મામલો

ઉદ્ઘાટન સાથે 16 જુલાઈથી વડનગર હવે રેલવેની બ્રૉડગેજ લાઇન દ્વારા બાકીના ભારત સાથે જોડાશે. હવે દેશના જુદા જુદા ભાગોને જોડતા આ વિભાગ પર મુસાફરો અને ગુડ્ઝ ટ્રેનો કોઈપણ વિક્ષેપ વિના દોડી શકે છે.

Maharashtra Taxi Rules મહારાષ્ટ્રમાં ટેક્સી અને બાઈકટેક્સી માટે નવા નિયમો બહારના લોકો નહીં ચલાવી શકે બાઈકટેક્સી, મરાઠી ભાષાનું જ્ઞાન ફરજિયાત!
Maharashtra Driving License Policy મહારાષ્ટ્રમાં ડ્રાઇવિંગ લાયસન્સ માટે નવી પોલિસી ૧ ઓગસ્ટથી આ સર્ટિફિકેટ ફરજિયાત!
Wayanad Landslide Tragedy વાયનાડમાં કુદરતી આફત ટનલ પ્રોજેક્ટ સાઈટ પર લેન્ડસ્લાઈડથી ૨ ના મોત, અનેક લોકો ગુમ
Ketan Agrawal Murder Case મોબાઈલ લોક ખુલતા જ ખુલ્યા સનસનીખેજ રાજ; હત્યાના ૪ મહિના પહેલા જ આરોપીઓએ કર્યા હતા ગુપ્ત લગ્ન!
Exit mobile version