Site icon News Continuous Bureau | Mumbai

પ્રિયંકા ની ધરપકડ બાદ હવે રાહુલ ગાંધી પણ લખીમપુરના રસ્તે, થશે જોરદાર હંગામો; જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 6 ઑક્ટોબર, 2021 

Join Our WhatsApp Channel

બુધવાર

ઉત્તર પ્રદેશના લખીમપુર હિંસા પ્રકરણમાં અત્યાર સુધીમાં એક પણ ધરપકડ થઈ ન હતી. હિંસાચારને પગલે  ઉત્તર પ્રદેશમાં રાજકીય વાતાવરણ બરોબરનું ગરમ છે. તમામ રાજકીય પક્ષો આ મુદ્દે પોતાનો રોટલો શેકી રહ્યા છે. હિંસાચારમાં પીડિતોની મુલાકાતે નીકળેલાં કૉન્ગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીને અધવચ્ચે જ રોકીને ઉત્તર પ્રદેશના સીતાપુરમાં પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યાં છે. ત્યારે આજે હવે કૉન્ગ્રેસ નેતા રાહુલ ગાંધી પાંચ સભ્યોના પ્રતિનિધિમંડળ સાથે પીડિતોની મુલાકાતે લખીમપુર જવાના હોવાની જાહેરાત કૉન્ગ્રેસે કરી છે. એથી સ્થાનિક સ્તરે માહોલ હજી બગડે એવી આશંકા પોલીસ અને સ્થાનિક પ્રશાસને વ્યક્ત કરી છે. 

લખીમપુર હિંસા પ્રકરણમાં 8 ખેડૂતોનાં મોત થયાં હોવાનો દાવો ખેડૂત પક્ષે થઈ રહ્યો છે ત્યારે ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા અને તેમના પુત્રની વહેલામાં વહેલી તકે ધરપકડ કરવાની માગણી કરી છે.

અહીં ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશના લખનૌમાં મંગળવારે એક પ્રોજેક્ટના ઉદ્ઘાટન માટે વડા પ્રધાન ગયા હતા. એની સામે પ્રિયંકા ગાંધીએ વીડિયો દ્વારા વડા પ્રધાનને તેઓ લખીમપુરની મુલાકાત નથી લેવાના એવો સવાલ પણ કર્યો હતો. 

Eknath Shinde Narendra Modi Meeting વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત બાદ એકનાથ શિંદેની પ્રથમ પ્રતિક્રિયા, દિલ્હીમાં બેઠક અંગે આપ્યું મોટું નિવેદન
Delimitation Bill Tamil Nadu Controversy દક્ષિણ ભારતની સીટો ઘટવાનો ડર! DMK અને વિપક્ષી નેતાઓ લાલઘૂમ, કેન્દ્ર સામે આક્રમક વલણ!
Prashant Kishor Meets Sunetra Pawar NCP ની કમાન અને ભવિષ્યની વ્યૂહરચના પ્રશાંત કિશોરે સુનેત્રા પવાર અને પાર્થ પવાર સાથે કરી મુલાકાત; મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો
Maharashtra doctors strike ડોક્ટરોની હડતાળ પર હાઈકોર્ટનો સપાટો! તરત કામ પર નહીં ફરો તો… જાણો શું કહ્યું કોર્ટે
Exit mobile version