Site icon

મહારાષ્ટ્રના ૧૧ જિલ્લાઓમાં પ્રતિબંધો યથાવત્ રહેશે; સરકારે કર્યો મોટો નિર્ણય, જાણો એ જિલ્લાઓનાં નામ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૯ જુલાઈ, ૨૦૨૧

Join Our WhatsApp Community

ગુરુવાર

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાને બોલાવેલી ટાસ્ક ફોર્સની મિટિંગ પૂર્ણ થઈ છે. કોરોનાની સંભવિત ત્રીજી લહેરને પગલે રાજ્યના ઘણા જિલ્લાઓ પૉઝિટિવિટી રેટ ઓછો હોવા છતાં ઘણા સમયથી ત્રીજા તબક્કામાં જ છે. આ સંદર્ભે આજે ટાસ્ક ફોર્સની મિટિંગ થઈ હતી, જેમાં મુખ્ય પ્રધાને રાજ્યના તમામ જિલ્લાઓની સ્થિતિનો રિવ્યુ કર્યો હતો અને ટાસ્ક ફોર્સ સાથે ચર્ચા કરાઈ હતી. આ મિટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે રાજ્યના ૧૧ જિલ્લાઓમાં ત્રીજા તબક્કાના પ્રતિબંધો યથાવત્ રહેશે.

આ ૧૧ જિલ્લાઓમાંથી પાંચ જિલ્લા પશ્ચિમ મહારાષ્ટ્રના છે, તો મરાઠવાડાનો એક જિલ્લો છે. સતારા, સાંગલી, પુણે, કોલ્હાપુર, સોલાપુર, રાયગઢ, રત્નાગિરિ, સિંધુદુર્ગ, બીડ, પાલઘર અને અહમદનગર આ તમામ જિલ્લાઓમાં ત્રીજા તબક્કાના નિર્બંધ યથાવત્ રાખવામાં આવ્યા છે.

મુંબઈના તમામ દુકાનદારો માટે સૌથી મોટા સમાચાર : કર્મચારી અને માલિકે આ કરવું જ પડશે.. રાજ્ય સરકારનો નિર્ણય.

ઉલ્લેખનીય છે કે આ તમામ જિલ્લાઓમાં કોરોનાની પરિસ્થિતિ હજી કાબૂમાં આવી નથી. રાજ્યના ૩૬માંના આ ૧૧ જિલ્લાઓમાં કોરોનાનો પૉઝિટિવિટી રેટ સરાસરી કરતાં અધિક છે, એથી સરકારે પ્રતિબંધો યથાવત્ રાખવાનો નિર્ણય કર્યો છે. અગાઉ કેન્દ્ર સરકારની ટીમે પણ સાંગલી અને કોલ્હાપુર જિલ્લામાં લૉકડાઉન કરવાનું સૂચન રાજ્ય સરકારને કર્યું હતું.

Maharashtra Rain: મહારાષ્ટ્રમાં વરસાદનું તાંડવ, મરાઠવાડા અને વિદર્ભમાં અતિવૃષ્ટિ; જાણો ક્યાં કેવી છે સ્થિતિ
Bike Taxi: મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, માત્ર આટલા રૂપિયામાં શરૂ થશે બાઈક ટેક્સીનો પ્રવાસ
Devendra Fadnavis: CM ફડણવીસની બેઠકમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણય, આરોગ્ય ક્ષેત્રમાં થયા ક્રાંતિકારી ફેરફાર
Acharya Devvrat: મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કરતા ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
Exit mobile version