Site icon

એસબીઆઈ બેંકે ખાતાધારકોને કર્યા સાવધાન, બેંકે બે નંબર જાહેર કરીને છેતરપિંડી થવાની આશંકા વ્યક્ત કરી. ઘ્યાન થી તપાસી લ્યો આ નંબર. 

News Continuous Bureau | Mumbai
 દેશમાં વધી રહેલી સાયબર ક્રાઈમની(Cyber crime) ઘટનાઓને ધ્યાને રાખી હવે સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ(SBI bank) પોતાના ગ્રાહતો માટે ચેતવણી જાહેર કરી છે. બેંક પોતાના કરોડો ગ્રાહકોને છેતરપિંડીથી બચાવવા માટે નંબર જાહેર કર્યા. આ મામલે બેંકે પોતાના ગ્રાહકોને જાગરૂક પણ કર્યા છે.સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ બે નંબર જાહેર કરીને છેતરપિંડી થવાની આશંકા વ્યક્ત કરી છે, જેથી ગ્રાહકોને નુકસાન થઈ શકે છે. પોતાના ગ્રાહકોને ફિશિંગ સ્કેમથી(Phishing scam) બચાવવા માટે બેંકે ચેતવણી જાહેર કરી છે. બેંક તરફથી કહેવામાં આવ્યું કે, ટ્‌વીટ, એસએમએસ, અને ઈમેલમાં(Email) ફિશિંગ છેતરપિંડીની ઘટનાઓ સામે આવી છે. ફોન પર કેટલાક લોકો પોતાને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના કર્મચારી જણાવીને છેતરપિંડી કરી રહ્યા છે.  સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ જાહેર કરતા બે નંબર પરથી ફોન આવે તો રિસીવ ન કરવા માટે કહેવામાં આવ્યું છે. જેમાં આ ૮૨૯૪૭૧૦૯૪૬ અને ૭૩૬૨૯૫૧૯૭૩ નંબરોનો સમાવેશ થાય છે.. બેંકે કહ્યું કે, જો તમને આ નંબરોથી ફોન આવે તો સાવધાન રહેવાની જરૂર છે.

આ સમાચાર પણ વાંચો :  યાત્રી કૃપયા ધ્યાન દે!!! આજે મુંબઈ-ગુજરાત વચ્ચેની ટ્રેનોને આ કારણથી થશે અસર.  જાણો વિગતે.    

Join Our WhatsApp Community
Maharashtra heavy rain: પિતૃપક્ષમાં મુશળધાર વરસાદનું સંકટ, 4 જિલ્લા માટે રેડ એલર્ટ
Gujarat Maternal Mortality Rate: સેમ્પલ રજીસ્ટ્રેશન સિસ્ટમ (SRS) મુજબ રાજ્યમાં માતા મૃત્યુદર વર્ષ ૨૦૨૩માં પ્રતિ એક લાખ જીવિત જન્મે ૫૧ થયો
Ahmednagar: અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલીને ‘અહિલ્યાનગર’ કરાયું
Gujarat CM Bhupendra Patel: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સેવા દાયિત્વના ચાર વર્ષ
Exit mobile version