Site icon News Continuous Bureau | Mumbai

આ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને શિવસેના નેતાએ એનસીપી સુપ્રીમો પવાર પર સાધ્યું નિશાન, આપ્યું એવું નિવેદન કે મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયુ

 ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 21 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Channel

મંગળવાર

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને શિવસેના નેતા અનંત ગીતે NCP પ્રમુખ શરદ પવાર પર નિશાન સાધ્યું છે. 

રાયગઢમાં એક જાહેર સભાને સંબોધતા તેમણે કહ્યું કે જેમણે પોતાની પાર્ટી બનાવવા માટે કોંગ્રેસની પીઠમાં છરા મારનાર શિવસૈનિકોનો 'ગુરુ' ન બની શકે. 

કોઈ ભલે ગમે તેટલી શરદ પવારની પ્રશંસા કરે, પરંતુ અમારા ગુરુ હંમેશા (સ્વર્ગસ્થ) બાળાસાહેબ ઠાકરે રહેશે

સાથે તેમણે એમ પણ કહ્યું કે શિવસેના, એનસીપી અને કોંગ્રેસની ત્રિપક્ષીય મહા વિકાસ આઘાડી (એમવીએ) સરકાર માત્ર એક સમજુતી છે.

ઉલ્લેખનીય છે કે પવારને મહા વિકાસ આઘાડી સરકારના આર્કિટેક્ટ અને મુખ્ય માનવામાં આવે છે, જે 2019 ની વિધાનસભા ચૂંટણી પછી શિવસેના અને ભાજપ વચ્ચેના સંબંધો તૂટી ગયા બાદ સત્તા પર આવી હતી.

Karjat Railway Station Ticket Checking કર્જત રેલવે સ્ટેશને સેન્ટ્રલ રેલવેની સરપ્રાઈઝ ટિકિટચેકિંગ ૩૮૨ મુસાફરો પાસેથી ₹૧.૭૪ લાખથી વધુનો દંડ વસૂલાયો
Pension Adalat Grievance Redressal પેન્શન અટવાયું છે કે ફરિયાદ છે? ગુજરાત પોસ્ટલ સર્કલ દ્વારા 18 સપ્ટેમ્બરે વિશેષ પેન્શન અદાલતનું આયોજન
Dahisar 7 Foot Python Rescued બોનેટ ખોલતાં જ ઉડી ગયા હોશ! દહીસરમાં કારના એન્જિનમાં બેઠો હતો 7 ફૂટ લાંબો મહાકાય અજગર, સર્પમિત્રોએ કર્યો રેસ્ક્યુ
Thane Police Mobile Recovery ઠાણે પોલીસની સફળ કામગીરી સીઇઆઇઆર પોર્ટલની મદદથી ૧૯ લાખથી વધુ કિંમતના ૧૮૦ ગુમ થયેલા મોબાઇલ ફોન કરાયા હસ્તગત
Exit mobile version