Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી નું બેશરમ નિવેદન : વિરાર માં લાગેલી આગ કંઈ રાષ્ટ્રીય સમાચાર નથી.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૩ એપ્રિલ 2021
શુક્રવાર

'બોલ બચ્ચન, અમિતાભ બચ્ચન' જેવા મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી એ અસંવેદનશીલ નિવેદન આપીને લોકોના દિલ દુખાવ્યા છે. વીરારની હોસ્પિટલમાં લાગેલી આગને કારણે તેર લોકોના મૃત્યુ થયા છે. આ પ્રસંગે જ્યારે મીડિયા વાળાઓએ સ્વાસ્થ્ય મંત્રી ને પ્રશ્ન પૂછ્યો ત્યારે તેમણે જવાબ આપ્યો કે 'આ કંઈ રાષ્ટ્રીય ઘટના નથી.' 

Join Our WhatsApp Channel


તેઓએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે આજની ઘટના સંદર્ભે તપાસ થઇ રહી છે અને જે લોકો ના મૃત્યુ થયા છે તેમને સહાય પૂરી પાડવામાં આવશે. સાથે જ તેમણે એમ પણ કહ્યું હતું કે આ કોઈ રાષ્ટ્રીય ઘટના નથી.
રાજેશ ટોપેના આ નિવેદનને કારણે રાજનૈતિક હંગામો થયો છે. ઉલ્લેખનીય છે કે બોલ બચ્ચન જેવા રાજેશ ટોપે એ 24 કલાક પહેલા નિવેદન આપ્યું હતું કે અમે ઑક્સિજન મેળવવા માટે કેન્દ્ર સરકારના પગે પડવા તૈયાર છીએ. 
એક તરફ મહારાષ્ટ્રમાં લોકોની હાલાકી વધી રહી છે ત્યારે મંત્રી મહોદય નો વાણીવિલાસ દાઝ્યા પર ડામ જેવો છે.

કોરોનાના દૈનિક કેસ મામલે ભારત રોજ નવા રેકોર્ડ બનાવી રહ્યું છે, આજે જૂનો રેકોર્ડ પણ તોડ્યો. જાણો તાજા આંકડા.. 

ED Freezes TMC Bank Accounts મમતા બેનર્જીને મોટો ઝટકો, EDએ TMC સાથે જોડાયેલા ૩ બેંક એકાઉન્ટ ફ્રીઝ કર્યા, ₹૪૪૦ કરોડ જમા છે
Pune Building Collapse પુણેમાં રહેણાંક ઈમારત ધરાશાયી થતાં સર્જાઈ મોટી દુર્ઘટના, ૧૪થી વધુ લોકો કાટમાળ નીચે દબાયા હોવાની આશંકા
Nashik Trimbakeshwar road closed નાસિકત્ર્યંબકેશ્વર હાઈવે પર મોટી આફત, ભારે વરસાદમાં રસ્તાનો એક હિસ્સો ધોવાઈ જતાં માર્ગ સંપૂર્ણપણે બંધ
Thane vendor washes corn in drain લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં! થાણેની જાંભલી નાકા માર્કેટમાં શાકભાજી વિક્રેતા એ ગટરના પાણીમાં મકાઈ ધોઈ…
Exit mobile version