News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના(MNS) પ્રમુખ રાજ ઠાકરેની(Raj Thackeray) મુશ્કેલીમાં વધારો થયો છે.
સાંગલીની(Sangli) શિરાલા કોર્ટે(Shirala Court) MNS પ્રમુખ રાજ ઠાકરે વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ(Non-bailable warrant) જારી કર્યું છે.
વોરંટ જારી થયા બાદ પણ રાજ ઠાકરે હાજર ન થતાં કોર્ટે ફરી વોરંટ ઈશ્યુ કરીને તેમને 11 જુલાઈના રોજ હાજર થવાનો આદેશ આપ્યો છે.
અગાઉ, 6 એપ્રિલના રોજ સાંગલીની શિરાલા મેજિસ્ટ્રેટ કોર્ટે(Magistrate Court) રાજ ઠાકરે વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું.
રાજ વિરુદ્ધ આઈપીસીની(IPC) કલમ 109 અને 117 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. અગાઉ પણ તેની સામે બે વખત આવા જ બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : આ નેતાએ આપ્યું વિવાદિત નિવેદન- કહ્યું-જે કોઈ નૂપુર શર્માની જીભ લાવશે તેને એક કરોડનું ઈનામ મળશે