Site icon

મહારાષ્ટ્રના આ મંદિર સૌથી સ્વચ્છ મંદિર- સતત બીજી વખત સ્વચ્છતાનો ખિતાબ મેળવ્યો-જાણો વિગતે

News Continuous Bureau | Mumbai 

કરોડો ભક્તોનું માનીતું વિશ્વ પ્રસિદ્ધ શિરડી, સાઈ મંદિર(Sai Temple) મહારાષ્ટ્ર(Maharashtra)ના સૌથી સ્વચ્છ મંદિરોમાંનું એક ગણાય છે. “માઝી વસુંધરા અભિયાન(Mazi Vasundhra Abhiyan)”માં શિરડીનું સાઈ મંદિર મહારાષ્ટ્રમાં સતત બીજી વખત ટોચ પર રહ્યું છે. 

Join Our WhatsApp Community

રોજના લાખો ભક્તોના પૂર સાંઈ મંદિરમાં આવતા હોવા છતાં સ્વચ્છતા(cleanliness)ને બાબતે શિરડીના સાઈ મંદિરે બાજી મારી લીધી છે. “માઝી વસુંધરા અભિયાન” શિરડી દેવસ્થાનને પ્રથમ ઇનામ મળ્યું છે. શિરડી રાજ્યના સૌથી સ્વચ્છ મંદિરોમાંનું એક બન્યું છે તો પંઢરપુર સિવાયના તમામ ધાર્મિક સ્થળો(Religious Place) સ્વચ્છતા પ્રત્યે ઉદાસીન જોવા મળે છે.

આ સમાચાર પણ વાંચો :  વધુ એક રેકોર્ડ- 22850 ફૂટની ઉંચાઈ પર બરફની ચાદર ઉપર ITBPના જવાનોનો યોગા અભ્યાસ- જુઓ વીડિયો 

રાજ્યમાં શિરડી, પંઢરપુર, ત્ર્યંબકેશ્વર સહિત અનેક મહત્વપૂર્ણ મંદિરો છે, તે બધામાં આ વર્ષે શિરડી મંદિર જીત્યું છે. સતત બીજા વર્ષે, મંદિરે 3 કરોડ રૂપિયાનું પ્રથમ ઇનામ જીત્યું છે. દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુ(devotee)ઓ દર વર્ષે શિરડીની મુલાકાતે આવે છે. તેથી શિરડીમાં સ્વચ્છતા એ નગર પંચાયત માટે મોટો પડકાર છે. 

સ્વચ્છ મંદિર સર્વેની યાદીમાં સૌથી અગ્રેસર શિરડી છે, ત્યાર બાદ બીજા નંબરે પંઢરપુર, ત્રીજા નંબરે શેગાંવ, ચોથા નંબરે ત્ર્યંબકેશ્વર, પાંચમા નંબરે કોલ્હાપુરની મહાલક્ષ્મી મંદિર, છ્ઠા નંબરે જેજુરી, સાતમાં નંબરે તુળજાપુરનો સમાવેશ થાય છે.

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version