Site icon

મહારાષ્ટ્ર રાજકીય સંકટ – કાર્યકારિણીની બેઠક બાદ ઉદ્ધવ ઠાકરેનો વિદ્રોહીઓને પડકાર- કહ્યું-બાળાસાહેબના નામે નહીં પરંતુ આ રીતે વોટ માંગી બતાવો

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્રમાં(maharashtra) ચાલી રહેલી રાજકીય કટોકટી(Political crisis) દરરોજ નવા વળાંક લઈ રહી છે. બળવાખોર(Rebel) ધારાસભ્ય એકનાથ શિંદેએ(Eknath Shinde) આજે ​​નવી પાર્ટીની જાહેરાત કરી છે, તો બીજી તરફ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ(Chief Minister Uddhav Thackeray) શિંદેના આ પગલા પર તીખી પ્રતિક્રિયા આપી છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે બળવાખોર ધારાસભ્યો(Rebel MLA) પોતાનો નિર્ણય લઈ શકે છે, પરંતુ કોઈએ બાળાસાહેબ ઠાકરેના(Balasaheb Thackeray) નામનો ઉપયોગ ન કરવો જોઈએ.

Join Our WhatsApp Community

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આજે કાર્યકારિણીની બેઠક બોલાવી હતી. આ બેઠક બાદ સેના ભવન(Sena Bhavan) પર શિવ સૈનિકોને(Shiv sainik) સંબોધન કરતા ઉદ્ધવ ઠાકરેએ એકનાથ શિંદે પર જોરદાર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, એકનાથ શિંદેને અમે મોટી જવાબદારી આપી હતી. બાલાસાહેબ ઠાકરેના નામ વગર વોટ માંગી બતાવે. શિવસેના બાળાસાહેબ ઠાકરેની હતી અને તેમની જ રહેશે. શિવસેના મરાઠી અસ્મિતા(Marathi Asmita) અને હિન્દુત્વ(Hindutva) માટે લડતી રહેશે. તેમણે કહ્યુ કે, મારા પિતા નહીં પણ પોતાના બાપના નામ પર વોટ માગીને બતાવો. સાથે તેમણે એમ પણ કહ્યું કે, પહેલા શિંદે  નાથ હતાં, પણ હવે દાસ બની ગયા છે.

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રના રાજકીય ઉથલપાથલ વચ્ચે શિંદે જૂથને ઝટકો- ડેપ્યુટી સ્પીકરે 16 બળવાખોર ધારાસભ્યોને નોટિસ મોકલી-આ તારીખ સુધીમાં આપવો  

Flight Fare Hike:સામાન બાંધતા પહેલા ચેતજો! એરલાઈન્સ કંપનીઓ વધારશે ટિકિટના ભાવ; મધ્ય પૂર્વના તણાવ વચ્ચે વિમાની મુસાફરીમાં મોટો ભાવવધારો.
LPG Crisis Eases in India:યુદ્ધ વચ્ચે ભારતની મોટી જીત! ગેસ બુકિંગમાં ૩૫% નો ઘટાડો અને ઉત્પાદન આસમાને; જાણો કેવી રીતે સામાન્ય થઈ રહી છે સ્થિતિ.
Maharashtra Weather Alert:મહારાષ્ટ્ર પર ફરી આકાશી આફત! આગામી ૪૮ કલાક ભારે; ૫ જિલ્લામાં તોફાની પવન સાથે વરસાદની યલો એલર્ટ.
Sion Panvel Highway Expansion:પૂર્વ મુંબઈના મુસાફરો માટે ખુશખબર! શીવ-પનવેલ હાઈવે પર ફ્લાયઓવરના વિસ્તરણથી ટ્રાફિકની સમસ્યા હલ; જાણો શું છે સરકારનો પ્લાન
Exit mobile version