Site icon News Continuous Bureau | Mumbai

ઠાકરે જૂથ માટે શિંદે જૂથ બન્યો માથાનો દુખાવો- એકનાથ શિંદેએ પણ ઉદ્ધવ ઠાકરે દ્વારા સૂચવવામાં આવેલા આ ચિન્હો પર કર્યો દાવો

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર(Maharashtra)માં અસલી અને નકલી શિવસેના(SHivsena)ને લઇને રાજકારણ ગરમાયું છે. દરમિયાન ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)બાદ હવે એકનાથ શિંદે(Eknath Shinde) જૂથે પણ એક પત્ર મોકલ્યો છે. શિંદે જૂથે અગાઉ ચૂંટણી પંચ(Election commission) સમક્ષ ગદા, તલવાર અને ટ્રમ્પેટનો વિકલ્પ તેમના નવા ચૂંટણી પ્રતીક (New election symbol) તરીકે રજૂ કર્યો હતો. જો કે, હવે એવી માહિતી સામે આવી રહી છે કે શિંદે જૂથે(Shinde group) ઠાકરે જૂથની જેમ જ ઉગતા સૂર્ય અને ત્રિશૂળ ચિહ્નનો દાવો કર્યો છે. જેના કારણે હવે બંને જૂથમાં ટકરાવ વધવાની સંભાવના છે.

Join Our WhatsApp Channel

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઉદ્ધવ ઠાકરે જૂથે પ્રતીક માટે ત્રણ વિકલ્પો પસંદ કર્યા છે. ઠાકરે જૂથ ઇચ્છે છે કે ત્રિશુલ, રાઇઝિંગ સૂરજ અને મશાલ આગામી અંધેરી પૂર્વ પેટાચૂંટણીમાં તેમની છાપ બનાવે. સૂત્રોના જણાવ્યા અનુસાર શિંદે જૂથે પણ ઉગતા સૂર્ય અને ત્રિશુલના પ્રતીકોનો દાવો કર્યો છે. માત્ર પ્રતીક જ નહીં પરંતુ નામ પર પણ શિંદે જૂથ અને ઠાકરે જૂથ વચ્ચે ટક્કર છે. બંને પક્ષો પોતાનું કામચલાઉ નામ 'શિવસેના- બાળાસાહેબ ઠાકરે' રાખવા માંગે છે. આવી સ્થિતિમાં કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા કયું ચૂંટણી ચિહ્ન અને નામ આપવામાં આવે છે તે જોવું રસપ્રદ રહેશે.

આ સમાચાર પણ વાંચો: સંજય રાઉત ઉવાચ- જામીન અરજી પર સુનાવણી માટે જેલમાંથી બહાર આવેલા શિવસેના નેતાએ હવામાં બાણ છોડ્યા

નોંધનીય છે કે શિવસેનામાં વિભાજન બાદ ઉદ્ધવ ઠાકરે જૂથ અને એકનાથ શિંદે જૂથે પાર્ટીના પ્રતીક 'ધનુષ અને તીર' અને પાર્ટી પર દાવો કર્યો છે. આ કારણે ચૂંટણી પંચે શનિવારે શિવસેનાના ચૂંટણી ચિન્હને ફ્રીઝ કરી દીધું હતું અને શિવસેનાના નામના ઉપયોગ પર પણ પ્રતિબંધ લગાવી દીધો હતો. આ પછી, હવે બંને જૂથોએ અલગ-અલગ વૈકલ્પિક નામ અને ચિહ્નનો ઉપયોગ કરવાનો રહેશે. જેની ફાળવણી ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવશે. આ સંદર્ભમાં પંચે શિવસેનાના બંને જૂથોને તેમના નામ અને ચૂંટણી ચિહ્નની પસંદગી સૂચવવા કહ્યું હતું.

Gujarat Dam Water Levels Rise ભારે વરસાદ બાદ ગુજરાતના જળાશયોમાં જળરાશિની ભરપૂર આવક સરદાર સરોવર સહિત રાજ્યના ડેમો છલકાયા
Sanjay Raut On Disha Salian Case દિશા સાલિયાન કેસમાં નવો વળાંક આદિત્ય ઠાકરેને નોટિસ પહેલાં સંજય રાઉતનું મોટું નિવેદન, ઠાકરે પરિવાર…
Lata Bai Tragic Story ૪ દીકરા પણ કોઈ કામ ન આવ્યા ૮ મહિનાથી વૃદ્ધાશ્રમમાં રહેતા માતા લતાબાઈનું નિધન, અંતિમ સંસ્કારમાં પણ પુત્રો ન ફરક્યા
Kuno National Park Cheetah Cubs ગુડ ન્યૂઝ કૂનો નેશનલ પાર્કમાં ગૂંજી કિલકારી! ભારતમાં જન્મેલી માદા ચીત્તાએ ૪ બચ્ચાંને આપ્યો જન્મ
Exit mobile version