Site icon

આ ભૂતપૂર્વ મુખ્યપ્રધાને કહ્યું,“કોરોનાને પણ જીવવાનો હક છે”; જાગ્યો વિવાદ, જાણો વિગત…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૪ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

શુક્રવાર

દેશમાંકોરોનાની ગંભીર પરિસ્થિતિ વચ્ચે ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવતે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. એક ખાનગી ન્યુઝ ચેનલને નિવેદન આપતાં કહ્યું હતું કે કોરોના વાયરસ એક જીવંત જીવ છે, જેને જીવવાનો અધિકાર છે.

ખાનગી ન્યુઝ ચેનલ પર તેમણે કહ્યું હતું કે “ફિલોસોફિકલ એંગલથી જોઈએ તો કોરોના વાયરસ પણ એક જીવંત જીવ છે. તેને પણ આપણા સૌની જેમ જીવવાનો અધિકાર છે, પરંતુ આપણે (મનુષ્ય) પોતાને સૌથી બુદ્ધિશાળી માનીએ છીએ અને તેને ખતમ કરવા માટે બહાર નીકળીએ છીએ. તેથી તે સતત પરિવર્તનશીલ થઈ ગયો છે.”

ગાઝાપટ્ટી પર મોટી લડાઈનાં એંધાણ : ઇઝરાયલે સૈન્ય તહેનાત કર્યુ
 

તેમણે ઉમેર્યું હતું કે મનુષ્યે સુરક્ષિત રહેવા માટે વાયરસથી આગળ નીકળવું જ પડશે. ત્રિવેન્દ્રસિંહના આવા વિવાદાસ્પદ નિવેદન બાદ તેમને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. એક વ્યક્તિએ ટ્વિટર પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે "આ સજીવ વાયરસને સેન્ટ્રલ વિસ્તારમાં આશ્રય આપવો જોઈએ."

Maharashtra Weather Alert: મહારાષ્ટ્રમાં કુદરતની બેવડી તલવાર એકબાજુ ૪૦ ડિગ્રીને પાર પારો અને બીજી બાજુ કમોસમી વરસાદનું એલર્ટ; રાજ્યમાં ગરમી અને ગર્જનાનો ખેલ શરૂ
Pune LPG Cylinder Booking Rules: પુણેવાસીઓ સાવધાન! હવે LPG સિલિન્ડર માટે લાગુ થયો નવો નિયમ; બીજા રિફિલ માટે જોવી પડશે આટલા દિવસ સુધી રાહ.
LPG Price Hike Update: મોંઘવારીનો ડબલ ડોઝ ગેસના ભાવમાં તોતિંગ વધારો! રસોડાથી લઈને રસ્તા સુધી દેખાશે અસર; જાણો આજના નવા રેટ
Nylon Manja Ban: નાયલોન માંજાનો જીવલેણ ખેલ હવે નહીં ચાલે! બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકાર પાસે માંગ્યો એક્શન પ્લાન; પ્રતિબંધના કડક અમલ માટે ૪ સપ્તાહની ડેડલાઈન
Exit mobile version