Site icon

આ ભૂતપૂર્વ મુખ્યપ્રધાને કહ્યું,“કોરોનાને પણ જીવવાનો હક છે”; જાગ્યો વિવાદ, જાણો વિગત…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૪ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

શુક્રવાર

દેશમાંકોરોનાની ગંભીર પરિસ્થિતિ વચ્ચે ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવતે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. એક ખાનગી ન્યુઝ ચેનલને નિવેદન આપતાં કહ્યું હતું કે કોરોના વાયરસ એક જીવંત જીવ છે, જેને જીવવાનો અધિકાર છે.

ખાનગી ન્યુઝ ચેનલ પર તેમણે કહ્યું હતું કે “ફિલોસોફિકલ એંગલથી જોઈએ તો કોરોના વાયરસ પણ એક જીવંત જીવ છે. તેને પણ આપણા સૌની જેમ જીવવાનો અધિકાર છે, પરંતુ આપણે (મનુષ્ય) પોતાને સૌથી બુદ્ધિશાળી માનીએ છીએ અને તેને ખતમ કરવા માટે બહાર નીકળીએ છીએ. તેથી તે સતત પરિવર્તનશીલ થઈ ગયો છે.”

ગાઝાપટ્ટી પર મોટી લડાઈનાં એંધાણ : ઇઝરાયલે સૈન્ય તહેનાત કર્યુ
 

તેમણે ઉમેર્યું હતું કે મનુષ્યે સુરક્ષિત રહેવા માટે વાયરસથી આગળ નીકળવું જ પડશે. ત્રિવેન્દ્રસિંહના આવા વિવાદાસ્પદ નિવેદન બાદ તેમને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. એક વ્યક્તિએ ટ્વિટર પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે "આ સજીવ વાયરસને સેન્ટ્રલ વિસ્તારમાં આશ્રય આપવો જોઈએ."

Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Exit mobile version