Site icon News Continuous Bureau | Mumbai

આ ભૂતપૂર્વ મુખ્યપ્રધાને કહ્યું,“કોરોનાને પણ જીવવાનો હક છે”; જાગ્યો વિવાદ, જાણો વિગત…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૪ મે ૨૦૨૧

Join Our WhatsApp Channel

શુક્રવાર

દેશમાંકોરોનાની ગંભીર પરિસ્થિતિ વચ્ચે ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવતે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. એક ખાનગી ન્યુઝ ચેનલને નિવેદન આપતાં કહ્યું હતું કે કોરોના વાયરસ એક જીવંત જીવ છે, જેને જીવવાનો અધિકાર છે.

ખાનગી ન્યુઝ ચેનલ પર તેમણે કહ્યું હતું કે “ફિલોસોફિકલ એંગલથી જોઈએ તો કોરોના વાયરસ પણ એક જીવંત જીવ છે. તેને પણ આપણા સૌની જેમ જીવવાનો અધિકાર છે, પરંતુ આપણે (મનુષ્ય) પોતાને સૌથી બુદ્ધિશાળી માનીએ છીએ અને તેને ખતમ કરવા માટે બહાર નીકળીએ છીએ. તેથી તે સતત પરિવર્તનશીલ થઈ ગયો છે.”

ગાઝાપટ્ટી પર મોટી લડાઈનાં એંધાણ : ઇઝરાયલે સૈન્ય તહેનાત કર્યુ
 

તેમણે ઉમેર્યું હતું કે મનુષ્યે સુરક્ષિત રહેવા માટે વાયરસથી આગળ નીકળવું જ પડશે. ત્રિવેન્દ્રસિંહના આવા વિવાદાસ્પદ નિવેદન બાદ તેમને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. એક વ્યક્તિએ ટ્વિટર પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે "આ સજીવ વાયરસને સેન્ટ્રલ વિસ્તારમાં આશ્રય આપવો જોઈએ."

Nagpur Heatwave Deaths। મહારાષ્ટ્રમાં જીવલેણ બની ગરમી! સૂર્યદેવે ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ, લૂ લાગવાથી એક જ દિવસમાં ૩ ના મોતથી ચિંતા વધી
Maharashtra Heatwave Alert। હવામાન વિભાગની ગંભીર ચેતવણી આગામી દિવસોમાં આકાશમાંથી વરસશે અગનગોળા, પ્રશાસને જાહેર કરી નવી ગાઇડલાઇન
Nagpur Burglary Case Solved 355 CCTV। નાગપુર પોલીસે ૩૫૫ સીસીટીવી કેમેરા ફંફોસીને ઘરફોડીનો ભેદ ઉકેલ્યો પુણેથી આરોપીઓ ઝડપાયા, ૬૫.૮૦ લાખનો મુદ્દામાલ જપ્ત
Missing Link Accident। મુંબઈપુણે ‘મિસિંગ લિંક’ પર કાળમુખો અકસ્માત; ૩ ના કમકમાટીભર્યા મોત, ૪ ગંભીર, હાઇવે પર લાગ્યો કિલોમીટરો લાંબો જામ
Exit mobile version