Site icon News Continuous Bureau | Mumbai

આ ભૂતપૂર્વ મુખ્યપ્રધાને કહ્યું,“કોરોનાને પણ જીવવાનો હક છે”; જાગ્યો વિવાદ, જાણો વિગત…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૪ મે ૨૦૨૧

Join Our WhatsApp Channel

શુક્રવાર

દેશમાંકોરોનાની ગંભીર પરિસ્થિતિ વચ્ચે ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવતે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. એક ખાનગી ન્યુઝ ચેનલને નિવેદન આપતાં કહ્યું હતું કે કોરોના વાયરસ એક જીવંત જીવ છે, જેને જીવવાનો અધિકાર છે.

ખાનગી ન્યુઝ ચેનલ પર તેમણે કહ્યું હતું કે “ફિલોસોફિકલ એંગલથી જોઈએ તો કોરોના વાયરસ પણ એક જીવંત જીવ છે. તેને પણ આપણા સૌની જેમ જીવવાનો અધિકાર છે, પરંતુ આપણે (મનુષ્ય) પોતાને સૌથી બુદ્ધિશાળી માનીએ છીએ અને તેને ખતમ કરવા માટે બહાર નીકળીએ છીએ. તેથી તે સતત પરિવર્તનશીલ થઈ ગયો છે.”

ગાઝાપટ્ટી પર મોટી લડાઈનાં એંધાણ : ઇઝરાયલે સૈન્ય તહેનાત કર્યુ
 

તેમણે ઉમેર્યું હતું કે મનુષ્યે સુરક્ષિત રહેવા માટે વાયરસથી આગળ નીકળવું જ પડશે. ત્રિવેન્દ્રસિંહના આવા વિવાદાસ્પદ નિવેદન બાદ તેમને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. એક વ્યક્તિએ ટ્વિટર પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે "આ સજીવ વાયરસને સેન્ટ્રલ વિસ્તારમાં આશ્રય આપવો જોઈએ."

Thane Ghodbunder Road Accident ઠાણા માં ભયાનક અકસ્માત ઘોડબંદર રોડ પર રિક્ષા પર ગેસ ટેન્કર પલટી ગયું, બે લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત
ED Freezes TMC Bank Accounts મમતા બેનર્જીને મોટો ઝટકો, EDએ TMC સાથે જોડાયેલા ૩ બેંક એકાઉન્ટ ફ્રીઝ કર્યા, ₹૪૪૦ કરોડ જમા છે
Pune Building Collapse પુણેમાં રહેણાંક ઈમારત ધરાશાયી થતાં સર્જાઈ મોટી દુર્ઘટના, ૧૪થી વધુ લોકો કાટમાળ નીચે દબાયા હોવાની આશંકા
Nashik Trimbakeshwar road closed નાસિકત્ર્યંબકેશ્વર હાઈવે પર મોટી આફત, ભારે વરસાદમાં રસ્તાનો એક હિસ્સો ધોવાઈ જતાં માર્ગ સંપૂર્ણપણે બંધ
Exit mobile version