Site icon News Continuous Bureau | Mumbai

મરાઠા અનામત માટે હવે રાજ્ય સરકાર રીવ્યુ પીટીશનના માર્ગે ફરી સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવશે; અશોક ચવ્હાણે આપી આ અગત્યની માહિતી, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 5 જૂન ૨૦૨૧

Join Our WhatsApp Channel

શનિવાર

અલાહાબાદ હાઈકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ દિલીપ ભોસલેની અધ્યક્ષતાવાળી સમિતિએ મહારાષ્ટ્રની રાજ્ય સરકારને મરાઠા અનામત અંગેના સુપ્રીમ કોર્ટના નિર્ણયને સમીક્ષા અરજી (રિવ્યુ પિટિશન) દ્વારા પડકારવાની ભલામણ કરી છે. રાજ્યના જાહેર બાંધકામ પ્રધાન અને મરાઠા અનામત અંગેની કૅબિનેટ પેટાસમિતિના અધ્યક્ષ અશોક ચવ્હાણે આ માહિતી મીડિયાને આપી હતી.

રાજ્ય સરકારે મરાઠા અનામત અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણયનો અભ્યાસ કરવા અને આગળના કાનૂની વિકલ્પો અંગે ભલામણો કરવા માટે અલાહાબાદ હાઈકોર્ટના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ દિલીપ ભોસલેની અધ્યક્ષતાવાળી કાનૂની નિષ્ણાતોની સમિતિની રચના કરી હતી. સમિતિએ શુક્રવારે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને પોતાનો અહેવાલ આપ્યો હતો. અહેવાલ વિશે મીડિયા સાથે વાત કરતાં અશોક ચવ્હાણે કહ્યું હતું કે, 40થી વધુ કાનૂની મુદ્દાઓને આધારે રિવ્યુ પિટિશન દાખલ કરાશે. સમિતિએ રાજ્ય સરકારને સૂચન આપ્યું છે કે બે મોટા કાયદાકીય મુદ્દાઓ, 50 ટકા અનામતમર્યાદા અને 102માં સુધારા, મરાઠા અનામતનો સૌથી મોટો અવરોધ છે.

જાણો તમારું શહેર કયા લેવલમાં આવે છે? તો તમને શું છૂટ મળશે? એક સપ્તાહ સુધી મહારાષ્ટ્રનાં કયાં શહેરોમાં કયા પ્રકારનું લૉકડાઉન રહેશે;જાણો વધુ વિગત

મરાઠા અનામતનો આગામી માર્ગ હવે સ્પષ્ટ થઈ ગયો છે. કેન્દ્ર સરકારે પણ 102માં સુધારણા સુધી મર્યાદિત ફેરવિચારણા અરજી દાખલ કરી છે. જોકેકેન્દ્રની પુનર્વિચાર અરજી મરાઠા અનામતને ન્યાય આપવા માટે પૂરતી નથી.

Eknath Shinde Cabinet Expansion કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તાર પહેલા એકનાથ શિંદેનો મોટો દાવ શિવસેના માટે આટલા મંત્રીપદો ફાળવવાની રાખી માંગ, દિલ્હીમાં રાજકીય ગતિવિધિઓ તેજ
NCP Reunion BJP Condition મહારાષ્ટ્રના રાજકારણમાં ઊથલપાથલના સંકેત શરદ પવારની NDA માં એન્ટ્રી અને NCP ના વિલય પર ભાજપે રોડમેપ કર્યો સ્પષ્ટ, મૂકી આ શરત…
Maharashtra Euthanasia Committee મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય ઈચ્છામૃત્યુના કેસ માટે દરેક હોસ્પિટલમાં રચાશે ખાસ ‘મેડિકલ કમિટી’
Siddhivinayak Temple Replica in Manipur આ રાજ્યમાં બનશે મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરની પ્રતિકૃતિ, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની મોટી જાહેરાત
Exit mobile version