Site icon News Continuous Bureau

ગુજરાતના આ જિલ્લાએ આપી ૯૮% લોકોને વેક્સીન; રસીકરણ અભિયાનમાં દેશમાં પહોંચ્યો પહેલા ક્રમે, જાણો વિગત…

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૨ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

બુધવાર

દેશમાં રસીકરણ અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે. તેવામાં હવે બનાસકાંઠા જિલ્લાએ નવો વિક્રમ સ્થાપ્યો છે. બનાસકાંઠા ૪૫ વર્ષથી વધુ આયુના ૯૮% લોકોને વેક્સીનનો પ્રથમ ડોઝ આપનાર દેશનો પહેલો જિલ્લો બની ગયો છે. બનાસકાંઠાની ૬.૧૭ લાખની વસ્તીમાંથી ૬.૦૪ લાખ લોકોએ વેક્સિનનો પહેલો ડોઝ લઈ લીધો છે.

જિલ્લામાં રસીકરણ માટે બે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું. એક કે લોકો પોતે જ રસીકરણ કેન્દ્ર પર જઈ રસી લેતા હતા અને બીજી તરફ આરોગ્યકર્મીઓ દરેક ગામમાં ફરી લોકોને રસી મૂકી આપતા હતા. તંત્રે જણાવ્યું હતું કે હવે ૧૮ થી ૪૪ આયુવર્ગના લોકોનું રસીકરણ પણ આ જ પ્રકારે કરવામાં આવશે.

હવે ભારતમાં 2થી 18 વર્ષના બાળકો પર થશે કોરોના વેક્સીનનું ટ્રાયલ, આ રસીને મળી મંજૂરી

ઉલ્લેખનીય છે કે આ સિદ્ધિનો યસ બનાસકાંઠાના પ્રભારી સચિવ વિજય નહેરાને આપવામાં આવી રહ્યો છે. બનાસકાંઠાના કલેક્ટર આનંદ પટેલે મીડિયાને જણાવ્યું કે જે દિવસથી રસીકરણ શરૂ થયું તે જ દિવસથી મહત્તમ લોકોને વેક્સીન આપવાનું અમે શરૂ કર્યું હતું. જિલ્લામાં દરરોજ સરેરાશ ૫૦થી ૫૫ હજાર રસી આપવામાં આવે છે. ગુજરાતમાં ૪૫ વર્ષથી વધુ વયના ૫૫ ટકા લોકો પ્રથમ ડોઝ પ્રથમ ડોઝ લઈ ચુક્યા છે. જયારે દેશમાં આ દર ૪૦ ટકાનો છે. તેવામાં બનાસકાંઠા જિલ્લાની આ સિદ્ધી સરાહનીય છે.

Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Exit mobile version