Site icon

ગુવાહાટી પહોંચ્યા બાદ પ્રથમવાર મીડિયા સામે આવ્યા એકનાથ શિંદે- મુંબઈ પરત આવવાના સંકેત આપ્યા- શિવસેનાને લઈને કહી આ વાત

 

News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Community

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ(Political crisis) વચ્ચે ગુવાહાટીમાં(Guwahati) બેસી ઠાકરે સરકાર(Thackeray government) સામે મોર્ચો ખોલનાર એકનાથ શિંદે(Eknath Shinde) પ્રથમવાર મીડિયા સામે આવ્યા છે. આ દરમિયાન તેમણે જલદી મુંબઈ પરત આવવાના સંકેત આપ્યા છે. 

આજે મહારાષ્ટ્ર સરકારના બળવાખોર નેતા(Rebel leader) એકનાથ શિંદે((Eknath Shinde) ગુવાહાટીની હોટલમાંથી બહાર નીકળ્યા હતા. આ દરમિયાન તેમણે મીડિયા સાથે વાતચીત પણ કરી હતી. તેમણે કહ્યું કે અમે શિવસેનામાં(Shivsena) છીએ અને શિવસેનામાં જ રહીશું. અમે બાળાસાહેબની(Balasaheb) હિંદુત્વ(Hindutva) વિચારધારા સાથે આગળ વધીશું. સાથે તેમણે કહ્યું કે અમે જલદી મુંબઈ જશું. એકનાથ શિંદેએ દાવો કર્યો કે તેમની સાથે કુલ 48 ધારાસભ્યો છે. 

આ સમાચાર પણ વાંચો :  મહારાષ્ટ્રમાં નવી સરકારને લઈને હલચલ તેજ-દેવેન્દ્ર ફડણવીસ દિલ્હી જવા થયા રવાના

મીડિયામાં પ્રસારિત થયેલા અહેવાલો અનુસાર એકનાથ શિંદે મુંબઈમાં રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને(Governor Bhagat Singh Koshyari) મળી શકે છે. આવી સ્થિતિમાં ભાજપ(BJP) સાથે મળીને સરકાર બનાવવાની શક્યતાઓ પર પણ અટકળો તેજ થઈ ગઈ છે. દરમિયાન એવા અહેવાલો પણ છે કે ભાજપે તેના તમામ ધારાસભ્યોને 29 જૂન સુધી મુંબઈ બોલાવ્યા છે.

Project Suvita Maharashtra: ‘પ્રૉજેક્ટ સુવિતા’ને જોરદાર પ્રતિસાદ: ૫૦ લાખથી વધુ બાળકોના વાલીઓની નોંધણી; મહારાષ્ટ્રમાં ૯૪ લાખ લાભાર્થીઓને રસીકરણના SMS સંદેશ
Girnar Ascent Descent Competition: ગુજરાતના યુવક – યુવતીઓ માટે આગામી સમયમાં ગીરનાર- જૂનાગઢ ખાતે ‘ગીરનાર આરોહણ – અવરોહણ સ્પર્ધા’ યોજાશે
Arms smuggling: ગેંગવોરનું કાવતરું નિષ્ફળ: દિલ્હીમાં પાકિસ્તાનથી મોકલાયેલા હથિયારો જપ્ત, લોરેન્સ અને બંબીહા ગેંગને થવાનો હતો સપ્લાય.
Local train: લોકલ ટ્રેનમાં મરાઠી ભાષાના વિવાદે લીધો યુવકનો ભોગ, પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી.
Exit mobile version