Site icon News Continuous Bureau | Mumbai

ઉદ્ધવ ઠાકરેએ રાજીનામું આપી દીધું પરંતુ એક સૌથી મોટો મોકો ગુમાવ્યો- જાણો એ મોકો જે અટલ બિહારી વાજપેયીએ વાપર્યો હતો અને ફરી એકવાર વડાપ્રધાન બન્યા હતા

News Continuous Bureau | Mumbai  

ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray)એ સોશિયલ મીડિયા પર પોતાનું રાજીનામું(resignation) આપી દીધું અને ત્યારબાદ રાજ્યપાલ(Governor)ને મળીને કાયદેસર રીતે પત્ર સોંપી દીધો. પરંતુ  હાલ રાજનૈતિક વિશ્લેષકો આ રાજીનામાને એક ગુમાવેલા મોકા સાથે સરખાવી રહ્યા છે. ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી(Atal Bihari Vajpayee) પણ આ પ્રકારે અલ્પમતમાં આવ્યા હતા. તે સમયે તેમણે ગુપચુપ રાજીનામું આપવાના સ્થાને સંસદનો સામનો કર્યો હતો. તેમણે સંસદ(Parliament) આખી રાત ચલાવી હતી અને આશરે ૩ થી ૪ કલાક સુધી ભાષણ આપ્યું હતું. આ સમયે તેમણે પોતાની ભૂમિકા તેમજ પોતાની પાર્ટીની ભૂમિકા સંસદ સમક્ષ મુકી હતી.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : રાજીનામા સમયે પણ ઉદ્ધવ ઠાકરેનો શરદ પવાર પ્રેમ દેખાયો- પણ એકનાથ શિંદે સામે ન ઝૂકયા

અટલ બિહારી વાજપેયીના આ પગલાને કારણે લોકોની સહાનુભૂતિ તેમના તરફ હતી અને તેમણે ફરી એક વખત સત્તા સ્થાપન કરી હતી. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પણ આવું કરી શક્યા હોત. પરંતુ તેમણે મોકો ગુમાવી દીધો છે. આ વાતનું હાલ આશ્ચર્ય છે.

Haridwar News પાણીની ટાંકીમાં સાપનો ડેરો, ૨૭ બચ્ચાં મળતા ફફડાટ! જુઓ વિડીયો…
Rohit Pawar Ladki Bahin Yojana।રોહિત પવારનો મોટો ધડાકો! ‘લાડકી બહેન યોજના’ ને લઈને કર્યો એવો દાવો કે સરકાર પણ ચોંકી ગઈ
Dharavi Redevelopment Master Plan। દેવેન્દ્ર ફડણવીસનો મોટો ધડાકો! આગામી ૨ વર્ષમાં બદલાઈ જશે ધારાવીનો ચહેરો, સિંગાપુર મોડલ પર થશે રીડેવલપમેન્ટ
Mumbai Monsoon Deficit।મહારાષ્ટ્રમાં મોન્સૂનની એન્ટ્રી પણ મુંબઈ હજી કોરું ધાકોર! રત્નાગિરી સુધી પહોંચ્યા પછી કેમ અટકી ગયા મેઘરાજા? જાણો હવામાન વિભાગની નવી આગાહી
Exit mobile version