Site icon

શાબ્બાશ મેરે શેર-શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ શિવસૈનિકોની થાબડી પીઠ- જાણો શું છે સમગ્ર મામલો

News Continuous Bureau | Mumbai

મુંબઈ(Mumbai)ના પ્રભાદેવી વિસ્તારમાં શનિવારે મધરાતે શિંદે જૂથ(Shinde Group)ના કાર્યકર્તાઓ અને ઉદ્ધવ ઠાકરે જૂથ(Uddhav Thackeray Group)ના કાર્યકર્તાઓ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ સમયે બંને જૂથના કાર્યકરો ભારે આક્રમક જોવા મળ્યા હતા. પોલીસે બાદમાં 25થી વધુ શિવસૈનિકો(Shivsainik) સામે ફરિયાદ નોંધી તેમને અટકાયતમાં લીધા હતા. બાદમાં છોડી મૂકાયેલા આ શિવસૈનિકો રવિવારે ઉદ્ધવ ઠાકરેને મળ્યા હતા.

Join Our WhatsApp Community

આ પ્રસંગે ઉદ્ધવ ઠાકરેએ આ તમામ શિવસૈનિકોની પ્રશંસા કરી હતી. તેથી એવું ચર્ચાઈ રહ્યું છે કે ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ શિંદે ગ્રુપના અને તેમના શિવસૈનિકો વચ્ચે થયેલી ધમાલને સમર્થન આપ્યું છે.

શિવસૈનિકો રવિવારે ઉદ્ધવ ઠાકરેને મળવા ગયા હતા ત્યારે શિવસેનાના યુવા નેતા આદિત્ય ઠાકરે(Aditya Thackeray) પણ ત્યાં હાજર હતા. શનિવારે થયેલા હિંસક બનાવમાં ઉદ્ધવ ઠાકરે જૂથ તરફથી મહત્વની ભૂમિકા ભજવનાર મહેશ સાવંત(Mahesh Sawant)ને ઉદ્ધવ ઠાકરેની બાજુમાં બેઠક આપવામાં આવી હતી. બે જૂથ વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ શિવસૈનિકોની ધરપકડ કરવામાં આવી હતી તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : હેરાનગતિ માટે તૈયાર થઈ જાઓ- આ તારીખથી ટેક્સી-રિક્ષાવાળાઓ બેમુદત હડતાળ પર – જાણો શું છે કારણ

જે બાદ ઉદ્ધવ ઠાકરે જૂથના શિવસૈનિકોએ માતોશ્રી પર ઉદ્ધવ ઠાકરેની મુલાકાત લીધી હતી. તે સમયે ઉદ્ધવ ઠાકરેએ કાર્યકર્તાઓના વખાણ કર્યા હતા અને શિંદે જૂથના કાર્યકર સંતોષ તેલવણે પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે મહેશ સાવંતની ભરપેટ પ્રશંસા કરી હતી.

આ દરમિયાન દાદર પોલીસે શિંદે જૂથના ધારાસભ્ય સદા સરવણકર વિરુદ્ધ કેસ નોંધ્યો છે. સરવણકર પર તેમની પિસ્તોલમાંથી ફાયરિંગ કરવાનો આરોપ છે અને પોલીસે તેમની પિસ્તોલ જપ્ત કરી લીધી છે. પરંતુ સદા સરવણકરે કહ્યું છે કે તેમની સામેના આ આરોપો ખોટા છે અને આ તેમની વિરુદ્ધનું કાવતરું છે.

Bhiwandi MIDC: મોટી દુર્ઘટના: ભિવંડી MIDC માં ડાઇંગ કંપનીમાં ભીષણ આગ, ભારે નુકસાનની શક્યતા.
Ajit Pawar: અજિત પવાર સંકટમાં: પૂણે જમીન કૌભાંડમાં ‘સેફ’ થવા પર કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો.
Vande Mataram: ‘વંદે માતરમ’ વિવાદમાં નવો વળાંક: ભાજપે અબુ આઝમીને આપ્યું આમંત્રણ, અમિત સાટમે લખ્યો પત્ર- શું આઝમી સામેલ થશે?
Perishable Food: મહારાષ્ટ્રના ખેડૂતોને મોટી રાહત: વિદેશમાંથી આવશે આધુનિક ટેકનોલોજી, હવે નાશવંત ખાદ્ય ચીજો મહિનાઓ સુધી ટકશે!
Exit mobile version