Site icon

મહારાષ્ટ્ર સરકાર પર સંકટ – સુરત પહોંચ્યા શિવસેનાના આ બે નેતા- નારાજ ધારાસભ્યોને મનાવવાનો કરશે પ્રયાસ

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકાર(Uddhav Government) ખતરમાં છે. તેમના દિગ્ગજ મંત્રી એકનાથ શિંદે(Eknath Shinde) પોતાની સાથે કેટલાક ધારાસભ્ય(MLA) સાથે સુરતની(Surat) મેરેડિયન હોટલમાં(Meridian Hotel) આવી ગયા છે. તેની વચ્ચે નારાજ એકનાથ શિંદેને મનાવવા માટે શિંદેના નજીક માનવામાં આવતાં રવીન્દ્ર ફાટક(Ravindra Phatak) અને મિલિંદ નાર્વેકર(Milind Narvekar) બે નેતાઓ સુરતની હોટલ ખાતે આવી પહોંચ્યા છે. જોકે પહેલા તેમને પોલીસે મુખ્ય દ્વાર પર રોક્યા અને અડધા કલાક પછી તેમને જવા દીધા.
 
મીડિયામાં પ્રસારિત થયેલા અહેવાલ મુજબ મિલિંદ નાર્વેકર(Milind Narvekar) અને રવિન્દ્ર ફાટક શિવસેનાના ધારાસભ્યોને મળવા સુરત પહોંચ્યા હતા અને હાલમાં બંને હોટલની અંદર છે. ઉદ્ધવ ઠાકરેએ નારાજ શિંદેને મનાવવા માટે શિંદેના નજીક માનવામાં આવતાં રવીન્દ્ર પાઠક અને મિલિંદ નાર્વેકરને તાબડતોબ સુરત ખાતે મોકલ્યા છે. બંને નેતાઓ સુરતની હોટલ ખાતે આવી એકનાથ શિંદે (Eknath shinde surat hotel) સાથે મુલાકાત કરી રોષ ખાળવાના પ્રયાસ કરશે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :  મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ -એનસીપી સુપ્રીમો શરદ પવારે હાથ ખંખેરી લીધા કહ્યું- આમાં હું કંઈ ના જાણુ- આ શિવસેનાનો આંતરિક મામલો છે- જાણો બીજું શું કહ્યું

આમ જોવા જોઈએ તો એકનાથ શિંદેના ટ્વિટ(Tweet) પરથી લાગી રહ્યું છે કે તેઓ શિવસેના પાર્ટી સાથે છેડો ફાડવાની તૈયારીમાં છે. હિન્દુત્વનો(Hindutva) રાગ અલાપી શિંદે સાથી ધારાસભ્યો સાથે કઈંક મોટું કરવાની ફિરાકમાં છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે રિસામણા મનામણાનો 'સામનો' એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરેના દૂત બનીને આવેલા નેતાઓ કેવી રીતે પાર પાડે છે..

Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Exit mobile version