Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં વાલીઓનો સણસણતો સવાલ : કૉલેજ અડધું જ વર્ષ ચાલશે તો ફી આખા વર્ષની કેમ?

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૨ જુલાઈ, ૨૦૨૧

Join Our WhatsApp Community

ગુરુવાર

હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લેતાં જણાય છે કે ગત વર્ષની જેમ આ વર્ષે પણ અગિયારમા ધોરણના વર્ગો શરૂ થતાં વધુ સમય લાગી શકે છે. અગિયારમા ધોરણમાં વિદ્યાર્થીઓને માંડ અડધું વર્ષ જ ભણવા મળશે એવી ભીતિ વાલીઓમાં છે. વાલીઓ હવે કહે છે કે જો કૉલેજો માત્ર અડધું જ વર્ષ ચાલુ રહેવાની હોય તો ફી શું કામ આખા વર્ષની ભરવી જોઈએ?

ગવર્નમેન્ટ ઍડેડ કૉલેજોમાં તો આ પ્રશ્ન ઊભો થશે નહિ, પરંતુ મૂળ અનઍડેડ વિભાગમાં આ ખૂબ મોટો પ્રશ્ન ઊભો થશે. એક વાલીએ નામ ન આપવાની શરતે ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું કે જો કૉલેજોમાં સમયને અભાવે યોગ્ય શિક્ષણ નહિ મળે, તો વિદ્યાર્થીઓએ કલાસિસના ભરોસે રહેવું પડશે અને વાલીઓને કોરોનાકાળમાં બીજો ફટકો પડશે.

CET અંગે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાઓમાં ભારોભાર મૂંઝવણ; CET તર્કસંગત ન હોવાનો લોકોનો મત, જાણો વિગત

ઉલ્લેખનીય છે કે આ વર્ષે પરીક્ષાઓ રદ થઈ હોવાથી કોરોનાના કારણે મહારાષ્ટ્ર રાજ્ય બોર્ડે દસમા ધોરણની પરીક્ષા રદ કરવાનો નિર્ણય કર્યો હતો. વિદ્યાર્થીઓને નવમા ધોરણના ગુણ અને ઇન્ટરનલ એસેસમેન્ટને આધારે પરિણામ આપવામાં આવ્યું હતું. આ પરિણામ સાથે અસંતુષ્ટ વિદ્યાર્થીઓને અગિયારમા ધોરણમાં પ્રવેશ માટે સરકારે કૉમન એન્ટરન્સ ટેસ્ટ (CET)નો વિકલ્પ આપ્યો છે.

હવે આ પરીક્ષાનું સમયપત્રક જોતાં સ્પષ્ટપણે જણાય છે કે જુનિયર કૉલેજ મોડી શરૂ થશે. સામાન્ય સ્થિતિમાં જુનિયર કૉલેજ ઑગસ્ટના પ્રથમ અઠવાડિયામાં શરૂ થતી હતી. જોકેહાલCET માટે જ ૨૧ ઑગસ્ટ, ૨૦૨૧ની તારીખ આપવામાં આવી છે.

Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Exit mobile version