News Continuous Bureau | Mumbai

રોગચાળાને સીધું આમંત્રણ એટલે કામરેજના બાપા સીતારામ ચોકની ગંદકી, વિસ્તારના રહીશોએ કરી આ માંગ

રોગચાળાને સીધું આમંત્રણ એટલે કામરેજના બાપા સીતારામ ચોકની ગંદકી, વિસ્તારના રહીશોએ કરી આ માંગ

News Continuous Bureau | Mumbai

સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં સમાવિષ્ટ કામરેજ ચાર રસ્તા વિસ્તારમાં આવેલી મોટા ભાગની આજુ બાજુની સોસાયટીઓ કામરેજ, નવાગામ તેમજ ખોલવડ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ છે. ત્યારે ગ્રામ પંચાયત દ્વારા વેરા વસુલાત માટે કોઈ કચાશ બાકી રાખવામાં નથી આવતી. કામરેજ ચાર રસ્તા વિસ્તારમાં આવેલા બાપા સીતારામ ચોક પાસે આવેલી આકૃતિ અને અવસર બંગ્લોઝ નજીક જાહેર માર્ગ નજીક ગંદકીથી ખદબદી રહ્યો છે.

Join Our WhatsApp Community

 A direct invitation to the epidemic is the filth of Kamrej Bapa Sitaram Chowk

ગ્રામ પંચાયતના સત્તાધીશો દ્વારા તેમની ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ જે તે વિસ્તારમાં થતી ગંદકી સહિતની સફાઈ કરવાની જવાબદારી રહેલી હોય છે. ત્યારે કામરેજ વિસ્તારની બાપા સીતારામ ચોક નજીક જાહેર માર્ગને અડીને કચરા સહિત ગંદકીથી દૂષિત પાણીનો સંગ્રહ જે લોકોના આરોગ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. ત્યારે એ ગંદકી વાળા સ્થળ પર ગેરકાયદેસર ગંદકી યુક્ત કચરો પણ ઠલવાઈ રહ્યો. ગંદકી યુક્ત દુર્ગંધ ફેલાવતું દૂષિત પાણી સહિત આજુબાજુમાં કચરાના ઢગલાને કામરેજ ગ્રામ પંચાયત દ્વારા સફાઇ કરી સ્વચ્છતા જાળવવામાં આવે એવી એ વિસ્તારના રહીશોને માંગ છે.

આ સમાચાર પણ વાંચો : ડાયમંડ સીટી સુરતના કામરેજની આ હોસ્પિટલમાં વિના મૂલ્યે કેમ્પ યોજાયો

Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Exit mobile version