Site icon

Ayodhya: અયોધ્યામાં ગુજરાત સરકાર દ્વારા વિશાળ યાત્રી ભવનનું નિર્માણ કરાશે.

Ayodhya: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી અયોધ્યામાં નિર્માણ પામનારા શ્રી રામચંદ્રજીના ભવ્ય મંદિરના દર્શન માટે આવનારા યાત્રીઓને આધ્યાત્મ અને પ્રવાસનનો સંગમ યાત્રીભવન પૂરો પાડશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની મહત્વપૂર્ણ જાહેરાત

A huge Yatri Bhawan will be constructed by the Gujarat government in Ayodhya

A huge Yatri Bhawan will be constructed by the Gujarat government in Ayodhya

News Continuous Bureau | Mumbai

Ayodhya: કરોડો ભક્તોના આસ્થા કેન્દ્ર સમા વિશ્વખ્યાત તીર્થક્ષેત્ર અયોધ્યામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ( Narendra Modi) માર્ગદર્શનથી આકાર પામી રહેલા  ભવ્ય રામમંદિર ( Ram Mandir ) નજીક ગુજરાત સરકાર ( Gujarat Government ) દ્વારા વિશાળ યાત્રી ભવનનું ( Yatri Bhavan ) નિર્માણ હાથ ધરવાનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ( Bhupendra Patel ) નિર્ણય કર્યો છે.

Join Our WhatsApp Community

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે આ ભવ્ય રામમંદિરના દર્શને આવનારા શ્રદ્ધાળુઓને ( devotees ) મંદિર પરિસર નજીક આવાસ- નિવાસ સુવિધાઓ મળી રહે તે માટે ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા આ યાત્રીભવનનું નિર્માણ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

ભગવાનની શ્રી રામના દર્શન માટે આવતા ભાવિકો માટે આ યાત્રી ભવન આધ્યાત્મ અને પ્રવાસનના સંગમ સમૂહ બની રહેશે. 

એટલું જ નહીં, વડાપ્રધાનશ્રીએ વિરાસતના ગૌરવ સાથે વિકાસ સાધવાના આપેલા કાર્ય સૂત્રને પણ સાકાર કરશે.

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના પ્રમોશન માટે જાપાનના પ્રવાસે જતા અગાઉ શનિવારે બપોરે  અયોધ્યા પહોંચ્યા હતા.

આ સમાચાર પણ વાંચો: Vice-President: ઉપરાષ્ટ્રપતિએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને એમઆરઆઈ અને સીટી સ્કેનના ફાઇનાન્સ ફોર્મ તરીકે વર્ણવ્યા.

મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં અયોધ્યામાં નિર્માણ થઈ રહેલા ભગવાન શ્રી રામચંદ્રજીના ભવ્ય મંદિર સંકુલની પૂર્ણતાને આરે પહોંચેલી કાર્યવાહી ની માહિતી મેળવી હતી.

 તેમણે આ અવસરે શ્રદ્ધા ભાવપૂર્વક રામ લલ્લાના દર્શન- અર્ચન તેમજ હનુમાનગઢી મંદિર માં હનુમાનજીના પણ દર્શન-અર્ચન કર્યા હતા.

 અત્રે ઉલ્લેખ કરવો જરૂરી છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા દાયી ઉપસ્થિતિમાં આગામી 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં આ ભવ્ય રામમંદિરમાં ભગવાન શ્રી રામચંદ્રજીની મૂર્તિ પ્રતિષ્ઠાનો ઉમંગ- ઉત્સવ ઉજવાશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Sensex Nifty Live Update: શેરબજારમાં ઐતિહાસિક તેજી અમેરિકાના ટેરિફ કાપથી રોકાણકારો ગેલમાં, સેન્સેક્સ ૩,૬૦૦ પોઈન્ટ અને નિફ્ટીમાં ૮૦૦ પોઈન્ટનો તોફાની ઉછાળો
Maharashtra Weather Update: આભમાંથી વરસશે આફત! મહારાષ્ટ્રના 8 જિલ્લાઓમાં યલો એલર્ટ; ગાજવીજ અને પવન સાથે માવઠાની શક્યતા
India US Trade Deal 2026: રશિયા સાથેની જૂની મિત્રતા અને અમેરિકા સાથે નવી ‘ડીલ’: શું ભારત ખરેખર રશિયન તેલ બંધ કરશે? જાણો શું છે અસલી ગણિત
India-US Trade Deal 2026: ટ્રમ્પ પ્રશાસનનો ઐતિહાસિક નિર્ણય, ભારત માટે ટેરિફ ઘટાડીને 18% કર્યો, રશિયન ઓઈલ પરના પ્રતિબંધોમાંથી મળી મુક્તિ
Exit mobile version