Site icon

શું અહેમદ પટેલની જગ્યા લેશે દિગ્વિજય સિંહ !? જાણો આ રેસમાં બીજા કયા કોંગ્રેસી નેતા છે દાવેદાર.. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો

મુંબઈ

Join Our WhatsApp Community

27 નવેમ્બર 2020 

અહેમદ પટેલના નિધનથી કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓ કોંગ્રેસમાં ખાલી જગ્યા ભરવા દાવેદાર ગણાઈ રહયાં છે. મધ્યપ્રદેશના બે પૂર્વ મુખ્ય પ્રધાન દિગ્વિજય સિંહ અને કમલનાથ. કોંગ્રેસના કરોડરજ્જુ અહેમદ પટેલની જગ્યા ભરવી સહેલી નથી. પરંતુ કોઈને તો આ જવાબદારી આપવી પડશે. આવનારા દિવસોમાં સૌથી મોટી ચૂંટણી પશ્ચિમ બંગાળ અને આસામ સહિત પાંચ રાજ્યોમા થવાની છે, આવી સ્થિતિમાં સોનિયા ગાંધીએ ટૂંક સમયમાં નવા ખજાનચી અને તેના સલાહકારની નિમણૂક કરવાની રહેશે. 

 

ખજાનચી પદના કેટલાક નામો ચર્ચામાં છે. હાલમાં, તમામ નેતાઓને તેમના હોદ્દા પરથી દૂર કરવામાં આવે તો પાર્ટી પર અસર પડી શકે છે. આવી સ્થિતિમાં દિગ્વિજય સિંહ અને કમલનાથને નવી જવાબદારીઓ આપી શકાય છે. 

 મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ કોંગ્રેસના ચાણક્ય બની શકે છે. તેમને ઊંડો રાજકીય અનુભવ છે. જો તેને ફ્રી હેન્ડ આપવામાં આવે અને પૂર્ણ-સમય સલાહકાર બનાવવામાં આવે, તો તે કોંગ્રેસને પુન:સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.  

જ્યારે પાર્ટીના પ્રમુખ પછી કોંગ્રેસ સંગઠનમાં ખજાનચી સૌથી મહત્વપૂર્ણ પદ છે. કમલનાથના વ્યાપારિક સંબંધો વિદેશી દેશોમાં પણ છે. આથી ખજાનચીની જવાબદારી તેમને સોંપવી પક્ષ માટે સૌથી યોગ્ય રહેશે. એમ હાલ કોંગ્રેસમાં ચર્ચાઈ રહ્યું છે.

Maharashtra: શિક્ષણ પાછળ સરકારનો મોટો ખર્ચ: મહારાષ્ટ્ર સરકારે મંજૂર કર્યા ₹165 કરોડ, 41 લાખ બાળકોના ખભા પર હશે નવા-નક્કોર સરકારી દફતર
Ahmedabad Air India Crash: અમદાવાદ પ્લેન દુર્ઘટના પાછળ પાઈલટનું ખતરનાક કાવતરું? ટેકનિકલ ખામી નહીં પણ આત્મઘાતી કદમની આશંકા, જાણો તપાસ રિપોર્ટની હકીકત
Maharashtra: બોર્ડની પરીક્ષા કે ચોરીનો અડ્ડો? ૧૨મા ધોરણમાં સામૂહિક ચોરીથી શિક્ષણ મંત્રી રોષે ભરાયા, હવે શાળાઓની માન્યતા રદ થવા સુધી આવશે નોબત!
Maharashtra Govt Jobs: ૭૦,૦૦૦ સરકારી જગ્યાઓ માટે ભરતીનો માર્ગ સાફ, શિક્ષણથી લઈને પોલીસ વિભાગ સુધીની ખાલી બેઠકોનું લિસ્ટ જાહેર
Exit mobile version