Site icon News Continuous Bureau | Mumbai

શું અહેમદ પટેલની જગ્યા લેશે દિગ્વિજય સિંહ !? જાણો આ રેસમાં બીજા કયા કોંગ્રેસી નેતા છે દાવેદાર.. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો

મુંબઈ

Join Our WhatsApp Channel

27 નવેમ્બર 2020 

અહેમદ પટેલના નિધનથી કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓ કોંગ્રેસમાં ખાલી જગ્યા ભરવા દાવેદાર ગણાઈ રહયાં છે. મધ્યપ્રદેશના બે પૂર્વ મુખ્ય પ્રધાન દિગ્વિજય સિંહ અને કમલનાથ. કોંગ્રેસના કરોડરજ્જુ અહેમદ પટેલની જગ્યા ભરવી સહેલી નથી. પરંતુ કોઈને તો આ જવાબદારી આપવી પડશે. આવનારા દિવસોમાં સૌથી મોટી ચૂંટણી પશ્ચિમ બંગાળ અને આસામ સહિત પાંચ રાજ્યોમા થવાની છે, આવી સ્થિતિમાં સોનિયા ગાંધીએ ટૂંક સમયમાં નવા ખજાનચી અને તેના સલાહકારની નિમણૂક કરવાની રહેશે. 

 

ખજાનચી પદના કેટલાક નામો ચર્ચામાં છે. હાલમાં, તમામ નેતાઓને તેમના હોદ્દા પરથી દૂર કરવામાં આવે તો પાર્ટી પર અસર પડી શકે છે. આવી સ્થિતિમાં દિગ્વિજય સિંહ અને કમલનાથને નવી જવાબદારીઓ આપી શકાય છે. 

 મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ કોંગ્રેસના ચાણક્ય બની શકે છે. તેમને ઊંડો રાજકીય અનુભવ છે. જો તેને ફ્રી હેન્ડ આપવામાં આવે અને પૂર્ણ-સમય સલાહકાર બનાવવામાં આવે, તો તે કોંગ્રેસને પુન:સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.  

જ્યારે પાર્ટીના પ્રમુખ પછી કોંગ્રેસ સંગઠનમાં ખજાનચી સૌથી મહત્વપૂર્ણ પદ છે. કમલનાથના વ્યાપારિક સંબંધો વિદેશી દેશોમાં પણ છે. આથી ખજાનચીની જવાબદારી તેમને સોંપવી પક્ષ માટે સૌથી યોગ્ય રહેશે. એમ હાલ કોંગ્રેસમાં ચર્ચાઈ રહ્યું છે.

Pune Police Drugs Destruction પુણે પોલીસનો ડ્રગ્સ વિરુદ્ધ સપાટો, ૪ કરોડથી વધુ કિંમતના ૪૫૫ કિલો અમલી પદાર્થોનો નાશ
Maharashtra Auto Taxi Marathi Deadline Extension મરાઠી ન આવડતી હોય તો ટેન્શન નહીં! મહારાષ્ટ્રમાં ડ્રાઇવરોને ૧ વર્ષની ડેડલાઇન, ગોઠવ્યા ખાસ વર્ગો
Palghar Forced Conversion Attempt પાલઘરમાં કથિત ધર્માંતરણનો પ્રયાસ ૨૨ મહિલાઓ સામે પોલીસ ફરિયાદ, ગામલોકોએ પકડીને પોલીસને સોંપી!
DRI Major Operation ડીઆરઆઈની મોટી કાર્યવાહી પુણે રેલવે સ્ટેશન પરથી ₹૩.૪૧ કરોડનું ડ્રગ્સ જપ્ત, મહિલા મુસાફર ઝડપાઈ!
Exit mobile version