Site icon News Continuous Bureau | Mumbai

Abhijit Mukherjee: પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના પુત્ર અભિજીત મુખર્જી ની થઇ ઘર વાપસી, આખરે ચાર વર્ષ બાદ કોંગ્રેસમાં જોડાયા..

Abhijit Mukherjee: પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના પુત્ર અભિજીત મુખર્જી કોંગ્રેસમાં પાછા ફર્યા છે. તેમણે પશ્ચિમ બંગાળ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શુભંકર સરકારની હાજરીમાં કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યો. વર્ષ 2021 માં, અભિજીત મુખર્જી કોંગ્રેસ છોડીને મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC) માં જોડાયા.

Abhijit Mukherjee Former President Pranab Mukherjee's son Abhijit rejoins Congress after four years in TMC

Abhijit Mukherjee Former President Pranab Mukherjee's son Abhijit rejoins Congress after four years in TMC

News Continuous Bureau | Mumbai

Abhijit Mukherjee: પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના પુત્ર અભિજીત મુખર્જીએ ચાર વર્ષ પછી રાજકારણમાં વાપસી કરી છે.  અભિજીત મુખર્જી આજે ફરી એકવાર કોંગ્રેસમાં જોડાયા. 2021ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પછી તેઓ તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા. 2012 અને 2014 માં જાંગીપુરથી સાંસદ રહેલા અભિજીત મુખર્જી 2019માં લોકસભા ચૂંટણી હારી ગયા હતા.  

Join Our WhatsApp Channel

Abhijit Mukherjee: માત્ર ચાર વર્ષ માટે ટીએમસીમાં રહ્યા.

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના પુત્ર અને ભૂતપૂર્વ લોકસભા સાંસદ અભિજીત મુખર્જી લગભગ ચાર વર્ષ તૃણમૂલ કોંગ્રેસમાં રહ્યા બાદ કોંગ્રેસમાં પાછા ફર્યા છે. 65 વર્ષીય અભિજીત પશ્ચિમ બંગાળ કોંગ્રેસ મુખ્યાલય, બિધાન ભવનમાં રાજ્ય પ્રભારી ગુલામ અહેમદ મીર અને પ્રદેશ પ્રમુખ શુભંકર સરકારની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા. કોંગ્રેસમાં ફરી જોડાયા બાદ તેમણે કહ્યું કે તેઓ એક સૈનિક તરીકે પાર્ટીમાં જોડાયા છે અને પાર્ટી નેતૃત્વની સૂચના મુજબ કામ કરશે. પ્રદેશ પ્રમુખ શુભંકર સરકારે કહ્યું કે અભિજીત મુખર્જીના કોંગ્રેસમાં જોડાવાથી પાર્ટી મજબૂત થશે.

Abhijit Mukherjee: અભિજીત બે વાર સાંસદ રહી ચૂક્યા છે.

જણાવી દઈએ કે અભિજીત મુખર્જી વ્યવસાયે એન્જિનિયર છે. રાજકારણમાં પ્રવેશતા પહેલા તેમણે મોટી કોર્પોરેટ કંપનીઓમાં કામ કર્યું હતું. પ્રણવ મુખર્જી રાષ્ટ્રપતિ બન્યા પછી, અભિજીત 2012 ની પેટાચૂંટણીમાં બંગાળના જાંગીપુરથી સાંસદ તરીકે ચૂંટાયા. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપની લહેર છતાં વિજય થયો હતો. પરંતુ તેઓ 2019ની ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસના ખલીલુર રહેમાન સામે હારી ગયા. આ તેમની રાજકીય કારકિર્દીમાં એક મહત્વપૂર્ણ વળાંક હતો. 2021ની વિધાનસભા ચૂંટણીમાં ટીએમસીની જીત બાદ તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. પછી તેમણે ભાજપને રોકવાનો શ્રેય મમતા બેનર્જીને આપ્યો અને કોંગ્રેસ પર ઉપેક્ષાનો આરોપ લગાવ્યો.

આ સમાચાર પણ વાંચો: Maharashtra Politics : શરદ પવારે કર્યું એકનાથ શિંદેનું સન્માન, ઉદ્ધવ સેના થઇ ગુસ્સે… કહ્યું- ‘શિવસેના તોડનારાઓનું સન્માન…

Abhijit Mukherjee: અભિજીત ટીએમસીમાં પણ બાજુ પર રહ્યા

મહત્વનું છે કે ટીએમસીમાં પણ, અભિજીત મુખર્જીને સંગઠન કે સરકારમાં કોઈ મોટી ભૂમિકામાં જોવા મળ્યા ન હતા. મુખર્જી તેમના વિવાદાસ્પદ નિવેદનોને કારણે હેડલાઇન્સમાં રહ્યા છે. તેમણે 2012 માં નિર્ભયા ઘટના પછી રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શનોમાં ભાગ લેતી મહિલાઓને “ડેન્ટેડ અને પેઇન્ટેડ” કહીને મોટો વિવાદ ઉભો કર્યો હતો. જોકે, ટીકા બાદ તેમણે જાહેરમાં માફી પણ માંગી હતી. હવે જોવાનું એ રહે છે કે કોંગ્રેસમાં પાછા ફરવાથી તેમના રાજકારણ પર શું અસર પડે છે?  

 

Supriya Sule On Disha Salian Case દિશા સાલિયાન કેસ પર સુપ્રિયા સુળે નું મોટું નિવેદન ‘આશ્ચર્ય થાય છે કે…’, સીબીઆઈ તપાસના ટાઈમિંગ પર ઉઠાવ્યા ગંભીર સવાલો
WCEF 2026 Gandhinagar ગાંધીનગર બનશે ગ્લોબલ ગ્રીન ઈકોનોમીનું કેન્દ્ર ભારત ૧૫ થી ૧૮ સપ્ટેમ્બર દરમિયાન વર્લ્ડ સર્ક્યુલર ઈકોનોમી ફોરમ ૨૦૨૬ની કરશે મેજબાની
Union Environment Minister Kutch GIB Visit લુપ્ત થતા ઘોરાડને બચાવવા કચ્છમાં ઐતિહાસિક પહેલ! કેન્દ્રીય મંત્રીના હસ્તે ‘સોફ્ટ રિલીઝ સેન્ટર’ અને ‘સાયરા વન કવચ’ દેશને સમર્પિત
Devendra Fadnavis On Marathi Hindi મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ પર પૂર્ણવિરામ મૂકવાનો પ્રયાસ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું માતૃભાષા સર્વોપરી છે, પણ રાષ્ટ્રભાષા સાથે કોઈ સંઘર્ષ નથી
Exit mobile version