Site icon News Continuous Bureau | Mumbai

હવે, મહારાષ્ટ્રમાંથી કોને પદ્મ પુરસ્કાર મળશે તેની સિફારીશ આદિત્ય ઠાકરે કરશે. તે નક્કી કરશે કે સમાજના મોભી કોણ છે…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

12 ઓગસ્ટ 2020 

કેન્દ્ર સરકાર દ્વારા અપાતાં પદ્મ એવોર્ડ માટે મહાનુભાવોના નામની ભલામણ કરવા રાજ્ય સરકારે એક સમિતિની રચના કરી છે. સમિતિના અધ્યક્ષ તરીકે પર્યટન, પર્યાવરણ અને શિષ્ટાચાર વિભાગ ના રાજ્ય પ્રધાન આદિત્ય ઠાકરેની નિમણૂક કરવામાં આવી છે. આ એવોર્ડ કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે આપવામાં આવે છે; જેમાં કલા, સાહિત્ય, વિજ્ઞાન, શિક્ષણ, ઉદ્યોગ, રમતગમત, મેડિસિન, સામાજિક સેવાઓ, વગેરે ક્ષેત્રોમાં નોંધપાત્ર કાર્ય કરનાર વ્યક્તિઓને એવૉર્ડ આપી તેમના કાર્યનું સન્માન કરવામાં આવે છે. આ નામોની ભલામણ કરવાનું કામ જે સમિતિ દ્વારા કરવામાં આવે છે તે સમિતિની અધ્યક્ષતા આ વર્ષે આદિત્ય ઠાકરેને આપવામાં આવી છે. 

આદિત્ય ઠાકરે જે પદ્મ એવોર્ડ સમિતિના અધ્યક્ષ છે, જેમાં પાંચ કેબિનેટ મંત્રીઓ, રાજ્યના બે પ્રધાનો, મુખ્ય સચિવ અને મુખ્ય સૌજન્ય અધિકારી હોય છે. ઉદ્યોગ પ્રધાન સુભાષ દેસાઇ, પશુપાલન પ્રધાન સુનિલ કેદાર, તબીબી શિક્ષણ અને સાંસ્કૃતિક બાબતોના પ્રધાન અમિત દેશમુખ, ઉચ્ચ અને તકનીકી શિક્ષણ પ્રધાન ઉદય સામંત, સામાજિક ન્યાય પ્રધાન ધનંજય મુંડે, ઉદ્યોગ રાજ્યમંત્રી અદિતિ તાત્કરે, જાહેર બાંધકામ રાજ્યમંત્રી દત્તાત્રા ભર્ણેના નામ સભ્ય તરીકે ઉમેરવામાં આવ્યા છે. આ સમિતિમાં મુખ્ય સચિવ અને મુખ્ય શિષ્ટાચાર અધિકારી બંનેની મુખ્ય સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/3fJqhxB 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

Arunachal Pradesh Flash Flood અરુણાચલ પ્રદેશમાં પ્રકૃતિનો ખૌફનાક રૌદ્ર સ્વરૂપ અચાનક આવેલા પૂરમાં સેનાના જવાનો અને મજૂરો તણાયા
Tukaram Mundhe FDA Action જ્યારે FDA વડા ખુદ રેસ્ટોરાંમાં જમવા ગયા અને અસલીનકલી પનીરનો ભાંડો ફૂટ્યો! રેસ્ટોરાં સામે કડક કાર્યવાહી
Uddhav Thackeray Flag Hoisting ઉદ્ધવ ઠાકરેએ મધ્યરાત્રિએ શિવસેના ભવન પર તિરંગો ફરકાવ્યો, જણાવ્યું વિશેષ કારણ
Central Railway 15 Car Local લોકલ પ્રવાસીઓ માટે ગુડ ન્યૂઝ ૧૨ ડબ્બાની ૨૨ ટ્રેનો હવે ૧૫ ડબ્બાની બનશે, જાણો સેન્ટ્રલ રેલવેનો નવો પ્લાન
Exit mobile version