Site icon

શું પંકજા મુંડે ભાજપ છોડી એનસીપી માં જોડાશે? જાણો કેવી રીતે આ આખી ચર્ચા બહાર આવી.. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

Join Our WhatsApp Community

31 ઓક્ટોબર 2020 

ભારતીય જનતા પક્ષમાંથી એકનાથ ખડસે એનસીપી (નેશનલ કોંગ્રેસ પાર્ટી)માં જોડાયાના ગણતરીના દિવસોમાં ભાજપના રાષ્ટ્રીય સચિવ તથા મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન પકંજા મુંડેએ એનસીપીના વડા શરદ પવારના વખાણ કરતા, તેઓ પણ એનસીપીમાં જોડાઈ શકે એવી રાજકીય અટકળો તેજ થઈ છે.

કોવિડ-19ની કટોકટીના તબક્કા દરમિયાન શરદ પવાર એક પછી એક મીટિંગ અને કામ કરવાની ક્ષમતા સરાહનીય વાત હોવાનું પકંજા મુંડેએ ટ્વિટ કર્યું હતું. શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની આઘાડી સરકારમાં એનસીપીના 79 વર્ષીય શરદ પવાર મહત્ત્વના નેતા માનવામાં આવે છે. ભારે વરસાદ અને પૂરના પ્રકાપોને કારણે રાજ્યભરમાં થયેલા નુકસાન અંગે તાજેતરમાં શરદ પવારે મુલાકાત લીધી હતી. જેના પંકજા મૂંડેએ વખાણ કરતી પોસ્ટ મુક્યા બાદ આ ચર્ચા ઉઠી છે. 

જોકે, આ ટ્વિટની ચર્ચા રાજકીય વર્તુળોમાં થવા લાગતા પંકજા મુંડેએ ટ્વિટ ડિલિટ કરી નાખી હતી. બીજી તરફ શરદ પવારના પૌત્ર અને અજિત પવારના પુત્ર રોહિત પવારે પંકજા મુંડેનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે "સારા કામની પ્રશંસા કરવાની મહારાષ્ટ્રની પરંપરા છે અને આને લીધે પકંજાની ટીકા ન થવી જોઈએ."  પરંતુ ખડસેને પગલે પગલે હવે ભાજપના નેતાઓ અન્ય પક્ષમાં જોડાવવા માટે લોબિંગ કરી રહ્યા હોવાનો સૂત્રોએ દાવો પણ કર્યો હતો.

Gujarat UCC Bill Passed: ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા લાગુ! લગ્ન, છૂટાછેડા અને લિવ-ઈન માટે આવ્યા નવા નિયમો
Flight Fare Hike:સામાન બાંધતા પહેલા ચેતજો! એરલાઈન્સ કંપનીઓ વધારશે ટિકિટના ભાવ; મધ્ય પૂર્વના તણાવ વચ્ચે વિમાની મુસાફરીમાં મોટો ભાવવધારો.
LPG Crisis Eases in India:યુદ્ધ વચ્ચે ભારતની મોટી જીત! ગેસ બુકિંગમાં ૩૫% નો ઘટાડો અને ઉત્પાદન આસમાને; જાણો કેવી રીતે સામાન્ય થઈ રહી છે સ્થિતિ.
Maharashtra Weather Alert:મહારાષ્ટ્ર પર ફરી આકાશી આફત! આગામી ૪૮ કલાક ભારે; ૫ જિલ્લામાં તોફાની પવન સાથે વરસાદની યલો એલર્ટ.
Exit mobile version