Site icon News Continuous Bureau | Mumbai

ધારાસભ્યો-સાંસદ બાદ હવે મુંબઈના નગરસેવકોનો વારો- જાણો શું છે શિંદે ગ્રુપનો પ્લાન

CM Eknath Shinde will do Maharashtra Yatra

મહારાષ્ટ્રમાં કોઈ જ ચૂંટણી નથી અને જનયાત્રાઓ શરૂ. ઉદ્ધવ ઠાકરે પછી મુખ્યમંત્રી એકનાથ શિંદેની 'ધનુષ્યબાણ યાત્રા'!

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

મહારાષ્ટ્રમાં ધારાસભ્યો(Maharashtra MLAs) અને સાંસદોને તોડીને શિવસેનામાં(Shivsena) ભંગાણ કરનારા એકનાથ શિંદે ગ્રુપે(Eknath Shinde Group) મુંબઈમાં  ઉદ્ધવ ઠાકરેની(Uddhav Thackeray) સાથે રહેલા ભૂતપૂર્વ નગરસેવકોને(EX corporators) પોતાની તરફ ખેંચવાની યોજના બનવી લીધી છે. આ માટે, એકનાથ શિંદે દ્વારા ખાસ  વ્યૂહરચનાનું આયોજન કરવામાં આવ્યું છે. મુંબઈના દરેક બળવાખોર ધારાસભ્યને તેની ખાસ  જવાબદારી સોંપવામાં આવી હોવાનું કહેવાય છે.

શિંદે ગુપ્રે જે રીતે શિવસેનાના ધારાસભ્યો, સાંસદો અને અન્ય શહેરોના નગરસેવકોને તબક્કાવાર તોડ્યા હતા, તે જ રીતે હવે મુંબઈમાં શિવસેનાના નગરસેવકો માટે શિંદે જૂથ દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. તેથી હવે મુંબઈમાં શિવસેનાના કેટલા કોર્પોરેટરો શિંદે ગ્રુપમાં જોડાય છે, તેના પર સૌની નજર છે.

આ સમાચાર પણ વાંચો : આખરે ભગતસિંહ કોશ્યારીએ માફી માંગી લીધી- ગુજરાતી અને મારવાડીઓ સંદર્ભે નું નિવેદન ફેરવી તોળ્યું

મિડિયામાં આવેલા અહેવાલ મુજબ મુંબઈના દરેક બળવાખોર ધારાસભ્યને(rebel MLA) શિંદે જૂથમાં ચારથી પાંચ ભૂતપૂર્વ કોર્પોરેટરોને સામેલ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. મુંબઈના પાંચ ધારાસભ્યો મંગેશ કુડાલકર(Mangesh Kudalkar), પ્રકાશ સુર્વે(Prakash Surve), યામિની જાધવ(Yamini Jadhav), સદા સરવણકર(Sada Saravankar), દિલીપ લાંડે એકનાથ શિંદેના જૂથમાં જોડાયા છે. એકનાથ શિંદેએ આ પાંચ લોકોને 'ઓપરેશન મુંબઈ'ની જવાબદારી સોંપી હોવાનું કહેવાય છે.

આ દરમિયાન મુંબઈ મહાનગરપાલિકાની(BMC) સ્થાયી સમિતિના ઘણા વર્ષોથી અધ્યક્ષ રહેલા સાંસદ રાહુલ શેવાળે(MP Rahul Shewale) દ્વારા મુંબઈમાં શિવસેનાના કોર્પોરેટરોને તોડવાના મજબૂત પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાનું રાજ્કીય સ્તરે ચર્ચાઈ રહ્યું છે. રાજ્યમાં સત્તા પરિવર્તન અને વિપક્ષો પર તપાસ એજન્સીઓની નજરને કારણે મુંબઈમાં શિવસેનાના 40 થી 45 કોર્પોરેટરો ઉદ્ધવનો સાથ છોડશે તેવો અંદાજ  છે.
 

Siddhivinayak Temple Replica in Manipur આ રાજ્યમાં બનશે મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરની પ્રતિકૃતિ, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની મોટી જાહેરાત
SIR Deadline Extended ‘SIR’ માટે 8 દિવસની વધુ મુદત રાજકીય પક્ષોની માંગ બાદ ચૂંટણી પંચની મોટી રાહત.
Heavy Rain Alert in Maharashtra રાજ્યમાં આજે વાવાઝોડા સાથે વરસાદની શક્યતા; મોટાભાગના જિલ્લાઓને હવામાન વિભાગનું ‘યેલો એલર્ટ’
Ladki Bahin Yojana Cut સરકારી તિજોરી ખાલી? મહારાષ્ટ્રમાં લાડકી બહેનોને ઝટકો, આર્થિક ભારણને પગલે મફત સાડી વિતરણની યોજના મોકૂફ.
Exit mobile version