Site icon News Continuous Bureau | Mumbai

એકનાથ શિંદે પાસેથી ભાગી આવેલો ધારાસભ્ય નિતીન દેશમુખ ખરો ફસાયો- એકનાથ શિંદે પર આરોપ લગાડવા જતાં તેના પોતાના વિમાનમાં ટ્રાવેલ કરવાના ના ફોટા બહાર આવ્યા- જૂઠાણું પકડાઈ ગયું- જુઓ ફોટોગ્રાફ 

News Continuous Bureau | Mumbai 

શિવસેના(Shivsena)ના નિતીન દેશમુખ(Nitin Deshmukh)નામના ધારાસભ્યએ સંજય રાઉત(Sanjya Raut) સાથે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં (press conference) તેમણે આરોપ લગાવ્યો હતો કે ગુજરાતની પોલીસે(Gujarat Police) તેમને ગોંધી રાખ્યા હતા અને નકલી હાર્ટ એટેક(heart Attack)  ઉપચાર હેઠળ તેમને ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમણે પોતાની આપવીતી કરતાં જણાવ્યું હતું કે અનેક સમસ્યાઓ અને મુસીબતોનો સામનો કરીને તેઓ જેમ તેમ કરતાં મુંબઈ પહોંચ્યા હતા.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : રાજ્ય સરકારમાં સત્તા નહીં પરંતુ પાર્ટી બચાવવાના ઉદ્ધવ ઠાકરેના ફાંફાં- આજે બોલાવી શિવસેના પાર્ટી પદાધિકારીઓની બેઠક-જાણો કઇ રણનીતિ પર કામ કરી રહ્યા છે ઉદ્ધવ ઠાકરે

એકનાથ શિંદે(Eknath Shinde) જૂથ તરફથી આ જુઠ્ઠાણાનો પર્દાફાશ થયો છે. ફોટોગ્રાફ સહિત એકનાથ શિંદે જૂથે પત્રકારોને માહિતી આપી છે કે નિતીન દેશમુખ સડક ના માધ્યમથી નહીં પરંતુ પ્રાઇવેટ વિમાન(private jet) ના માધ્યમ થી મહારાષ્ટ્ર પાછા પહોંચ્યા હતા. એટલું જ નહીં અનેક ફોટોગ્રાફ રિલીઝ કરીને પત્રકારોને જણાવવામાં આવ્યું છે કે નિતીન દેશમુખ તમામ જગ્યાએ પોતાની મરજીથી આવ્યા હતા તેમજ તેમણે કાનૂની કાર્યવાહીમાં પણ હિસ્સો લીધો હતો. 

આમ મહારાષ્ટ્ર પરત આવવા માટે લોકો પાસે લિફ્ટ લેવાના દાવાની હવા નીકળી ગઈ છે.

Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Exit mobile version