Site icon News Continuous Bureau | Mumbai

Agniveer Reservation : અગ્નિવીરો માટે યુપી અને મધ્યપ્રદેશ સરકારની મોટી જાહેરાત, અગ્નિવીરોને હવે પોલીસ ભરતીમાં મળશે અનામત.. જાણો વિગતે..

Agniveer Reservation : CISF, RPF, BSF અને CRPFમાં અનામતની જાહેરાત કરવામાં આવી હતી. આ સાથે હવે બે મહત્વના રાજ્યોમાં પોલીસ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને પણ અનામત આપવામાં આવશે.

Agniveer Reservation Good news for firefighters; Now reservation will be available in police recruitment, big announcement of UP and Madhya Pradesh

Agniveer Reservation Good news for firefighters; Now reservation will be available in police recruitment, big announcement of UP and Madhya Pradesh

 News Continuous Bureau | Mumbai

Agniveer Reservation : કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલી અગ્નિવીર યોજનાને કારણે દેશમાં ભારે હંગામો મચી ગયો છે. દરમિયાન, હવે કેન્દ્ર સરકારે કેન્દ્રીય સુરક્ષા દળોમાં ( Central Security Forces ) ભૂતપૂર્વ અગ્નિવીર માટે અનામતની જાહેરાત કરી છે. જેમાં ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ સરકારે રાજ્યમાં પોલીસ ભરતીમાં હવે ભૂતપૂર્વ અગ્નિવીરને અનામત આપવાનો પણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને મુખ્યમંત્રી મોહન યાદવે આની જાહેરાત કરી છે.  

Join Our WhatsApp Channel

આ અગાઉ CISF, RPF, BSF અને CRPFમાં અનામતની જાહેરાત કરવામાં આવી હતી. આ સાથે હવે બે મહત્વના રાજ્યોમાં પોલીસ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને ( Agniveer  ) પણ અનામત આપવામાં આવશે. ઉત્તર પ્રદેશના ( Uttar Pradesh ) મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે આ આદેશ જારી કરતા કહ્યું હતું કે, જ્યારે અગ્નિવીર તેમની સેવા પછી પરત ફરશે, ત્યારે તેમને રાજ્યની પોલીસ સેવામાં ( Police Recruitment )  અનામત આપવામાં આવશે. આ સાથે જ મધ્યપ્રદેશના ( Madhya Pradesh ) મુખ્યમંત્રીએ પણ આ વાત કહી હતી. તેમણે નિવેદનમાં કહ્યું હતું કે, રાજ્ય સરકાર અગ્નિવીરોને પોલીસ અને સશસ્ત્ર દળોની ભરતીમાં હવે અનામત આપશે.

આ સમાચાર પણ વાંચો  :  Ek Ped Maa Ke Naam Gandhinagar: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ‘એક પેડ માં કે નામ’ અંતર્ગત તા.૩૧મી ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં યોજાનાર અર્બન ફોરેસ્ટ અભિયાનનો આરંભ ગાંધીનગર ખાતેથી કરાવ્યો

Agniveer Reservation : કોઈપણ દેશ અને સમાજને આગળ વધવા માટે સમયાંતરે સુધારા જરૂરી છે….

યોગી આદિત્યનાથે કહ્યું કે વિપક્ષ હાલ અગ્નિવીર યોજનાને ( Agniveer Yojana ) લઈને લોકોને ગેરમાર્ગે દોરે છે. તેમણે રાષ્ટ્રીય સુરક્ષાના મહત્વને રેખાંકિત કરતી વખતે વિપક્ષની ટીકા પણ કરી હતી. તેમણે કહ્યું કે કોઈપણ દેશ અને સમાજને આગળ વધવા માટે સમયાંતરે સુધારા જરૂરી છે. યોગીએ આ અંગે નિવેદન આપતા કહ્યું હતું કે, આપણે રાષ્ટ્રીય સુરક્ષાને સમાન મહત્વ આપવું જોઈએ. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે કહ્યું કે કારગિલ દિવસના અવસર પર અમારી સરકારે નિર્ણય લીધો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈચ્છા મુજબ અગ્નિવીર સૈનિકોને પણ પોલીસ અને સશસ્ત્ર દળોની ભરતીમાં અનામત આપવામાં આવશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

Palghar Illegal Liquor Seized પાલઘરમાં ટેમ્પોમાંથી ₹૨૨.૯ લાખનો ગેરકાયદેસર વિદેશી દારૂ અને બિયરનો જથ્થો જપ્ત
MSRTC MumbaiPune Bus Trips મુંબઈપુણે મુસાફરોની મુશ્કેલીમાં MSRTC બન્યું સહારો 30 ટ્રેનો રદ થતાં દોડાવશે 200 વધારાની બસો!
Kharif Sowing Status ખેતીમાં રોનક! રાજ્યમાં 56% ખરીફ વાવણી સંપન્ન, સોયાબીન અને કપાસ બન્યા ખેડૂતોના ‘ગોલ્ડન ક્રોપ’.
Thane Building Collapse આઝાદ નગર વિસ્તારમાં ચાલનો ભાગ ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત, અનેક લોકો ઈજાગ્રસ્ત
Exit mobile version