Site icon News Continuous Bureau | Mumbai

બિહારના ચુંટણી પરિણામ પહેલા મોટી ઉથલપાથલ થવાની સંભાવના… કોંગ્રેસએ રણદીપ સુરજેવાલ ને તાત્કાલિક પટના દોડાવ્યા..

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

Join Our WhatsApp Channel

09 નવેમ્બર 2020

દરેક ઓપીનીયન પોલમાં મોટેભાગે રાજદ અને કોંગ્રેસના ગઠબંધનને પાતળી બહુમતી સાથે પણ વિજય મળે તેવા સંકેત છે. 243 બેઠકોની વિધાનસભામાં એનડીએનું ગઠબંધન જો બહુમતીથી થોડુ દૂર રહી જાય તો ભાજપે પ્લાન-બી તૈયાર રાખ્યો હોવાના સંકેત છે. ખાસ કરીને તે વિધાનસભામાં બહુમતીના આંકને પહોંચવા કોંગ્રેસના સભ્યોને તોડવાનો વ્યુહ અપનાવે તેવા સંકેત છે.

બિહારમાં શનિવારે સાંજે આવેલા એકઝીટ પોલમાં એક માત્ર ચાણકયના પોલમાં રાજદ અને કોંગ્રેસના મહાગઠબંધનને 121 બેઠકો મળશે તેવો અંદાજ અપાયો છે. જયારે અન્ય એકઝીટ પોલમાં એનડીએ અને મહાગઠબંધન વચ્ચે થોડી બેઠકોનો ફર્ક રહી જાય તેવી શકયતા છે. એનડીએમાં પણ જનતાદળ યુ કરતા ભાજપ વધુ બેઠકો મેળવી જાય તેવુ પણ માનવામાં આવે છે. આ સ્થિતિમાં ભાજપે તેના બિહારના નિષ્ણાંતોને એલર્ટ કરી દીધા છે અને જો 8-10 બેઠકોનો તફાવત હોય તો કોંગ્રેસમાંથી ધારાસભ્યોને ખેચી લાવવાની તૈયારી રાખી હોવાના સંકેત છે. આ સ્થિતિમાં જો નિતીશકુમાર સહમત ન થાય તો પોતાના મુખ્યમંત્રીને બેસાડી દેશે અને કોઈપણ ભોગે રાજયમાં સરકાર રચશે તેવા સંકેત છે. 

કોંગ્રેસ બિહારની આ સ્થિતિથી એલર્ટ બની ગઈ છે અને દરેક જિલ્લામાં કોંગ્રેસના નિરીક્ષકોને નિયુક્ત કરી દીધા છે અને ચૂંટાયેલા ધારાસભ્યો અકબંધ રહે તેવી તૈયારી રાખી છે. સૂત્રોના જણાવ્યા મુજબ ભંગાણનો ભય કોંગ્રેસને સૌથી વધુ છે. અન્ય રાજયોમાં ભાજપે સરકાર બનાવવા માટે યુક્તિ અજમાવી હતી તેવી જ યુક્તિ બિહારમાં પણ અપનાવી શકે છે. કોંગ્રેસ ને ભય છે કે કોઈ પ્રધાનપદની લાલચે તેમના ધારાસભ્ય પક્ષપલટો કરી શકે છે.

Sahar Yunus Shaikh। OBC સર્ટિફિકેટ મામલે મુંબ્રાના કોર્પોરેટર સહર યુનુસ શેખની સ્પષ્ટતા, વિવાદ વચ્ચે જાણો શું છે સત્ય.
Maharashtra Weather। શું મુંબઈમાં પણ પડશે વરસાદ? ગરમીથી ત્રસ્ત મહારાષ્ટ્રવાસીઓ માટે આવી મોટા રાહતના સમાચાર, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
Modern Bhakti:આધ્યાત્મિકતા અને આધુનિક સંગીતનું અદભૂત મિશ્રણ
Hawala Racket। દિલ્હીસુરત હવાલા નેટવર્ક આમ આદમી પાર્ટીના નામે ૧.૨ કરોડની રોકડ પકડાતા ખળભળાટ, જાણો શું છે મામલો?
Exit mobile version