Site icon

અમદાવાદ રેલવે સ્ટેશનની મેગા સિદ્ધિ : એકજ ટર્મિનલ પરથી સામાન્ય, બુલેટ અને મેટ્રો ટ્રેનનું દોડશે.. જાણો દેશના  એક અનોખા સ્ટેશનની કહાની..

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

Join Our WhatsApp Community

10 ઓક્ટોબર 2020

અમદાવાદ આવતા લોકો માટેનું એક સેન્ટર પોઈન્ટ કહેવાતું 157 વર્ષ જૂનું કાલુપુર રેલવે સ્ટેશન. ભરચક વિસ્તારમાં આવેલું આ સ્ટેશન આગામી દિવસોમાં દેશનું એક એવું ટ્રાન્સપોર્ટેશન હબ બની જશે, જ્યાં ત્રણ પ્રકારનાં સ્ટેશન બનાવવામાં આવશે. જેમાં નોર્મલ રેલવે-રેગ્યુલર પ્લેટફોર્મ પર, બુલેટ ટ્રેન-જમીનથી 20 મીટર ઊંચે અને મેટ્રો ટ્રેન- જે જમીનથી 20 મીટર નીચે બનશે. આ રીતે કાલુપુર એકમાત્ર સ્ટેશન હશે, જ્યાં સામાન્ય રેલવે, મેટ્રો અને બુલેટ ટ્રેન સ્ટેશન હશે.

નેશનલ હાઈ-સ્પીડ રેલવે કોર્પોરેશન લિમિટેડ અનુસાર, બુલેટ ટ્રેન માટે કોઈ અલગથી સ્ટેશન બનાવવામાં નહીં આવે. આ ટ્રેન કાલુપુર તેમજ સાબરમતી સ્ટેશન પરથી દોડતી જોવા મળશે. આ નિર્ણયથી મુસાફરોને અવરજવરમાં સરળતા થશે. મુસાફરો બીઆરટીએસ, એસટી સ્ટેન્ડ તેમજ એરપોર્ટથી કનેક્ટ રહી શકે એ માટે આ પ્લાનિંગ કરવામાં આવ્યું છે. 

નેશનલ હાઈ-સ્પીડ રેલવે કોર્પોરેશન લિમિટેડ દ્વારા સ્ટેશનની ડિઝાઈન તેમજ કંસ્ટ્રક્શનની કામગીરીની સોંપણી માટે બીડ્સ મગાવાયાં છે. NHSRCLએ ગત મહિને જણાવ્યું હતું કે અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનનાં કુલ 12 સ્ટેશન બનશે, જેમાંથી સુરત, વાપી, બીલીમોરા, ભરૂચ અને નડિયાદ એમ 5 સ્ટેશન માટેનાં ટેક્નિકલ બીડ્સ ખોલવામાં આવ્યાં છે, જ્યારે અમદાવાદમાં કાલુપુરમાં બુલેટ ટ્રેનનું રેલવે સ્ટેશન સરસપુર તરફ તૈયાર કરવામાં આવશે.

Republic Day 2026:દેશદ્રોહી પન્નુની વધુ એક નાપાક હરકત: લાલ કિલ્લા પર ધ્વજવંદન રોકવા કરી ઉશ્કેરણી; દિલ્હીમાં FIR દાખલ, એજન્સીઓ એલર્ટ.
Ladki Bahin Yojana Update: લાડકી બહેન યોજનામાં ટેકનિકલ ખામી? હવે ઘરે બેઠા થશે ઉકેલ; મંત્રી અદિતિ તટકરેએ લોન્ચ કરી ખાસ સુવિધા, જાણો વિગત.
Badlapur Crime: બદલાપુરમાં વધુ એક નરાધમની કરતૂત: 4 વર્ષની બાળકી સાથે સ્કૂલ વાન ચાલકે કરી હેવાનીયત; પોલીસે આરોપીની ધરપકડ કરી વાન જપ્ત કરી
Noida-Ahmedabad School Bomb Threat: નોઇડા અને અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી; ઇમેઇલ બાદ પોલીસનું સઘન સર્ચ ઓપરેશન શરૂ
Exit mobile version