Site icon News Continuous Bureau | Mumbai

હેં, શું વાત કરો છો? મહારાષ્ટ્રમાં ‘અહીં’ લાખો રૂપિયામાં વેચાય છે ગધેડો, જાણો શું છે કારણ

ahmednagar pathardi kanifnath madhi yatra donkey market

હેં, શું વાત કરો છો? મહારાષ્ટ્રમાં 'અહીં' લાખો રૂપિયામાં વેચાય છે ગધેડો, જાણો શું છે કારણ

News Continuous Bureau | Mumbai

ગધેડો હંમેશા ઉપેક્ષિત પ્રાણી રહ્યો છે. કોઈને ગધેડો કહેવું એ એક પ્રકારે મૂર્ખ કહેવા સમાન માનવામાં આવે છે. એના સિવાય ઘણા લોકો સામાન્ય વાતચીતમાં સતત કામ કરનારાને ‘ગધેડાની જેમ કામ કરનાર’ પણ કહે છે. આ દુનિયામાં બીજું કોઈ પ્રાણી નથી કે જેણે આવું અપમાન સહન કર્યું હોય. પણ જો તમને કોઈ કહે કે આ જ ગધેડો લાખો રૂપિયાનો છે તો શું તમે વિશ્વાસ કરશો?

મહારાષ્ટ્રના અહેમદનગરના પાથરડી તાલુકાના માઢી ખાતે મઢી યાત્રામાં આ ચમત્કાર થાય છે. આ યાત્રા નાથ સંપ્રદાયના ભક્તો માટે આ ઉત્સવ સમાન છે. ભક્તો જાતે જ કાનિફનાથનો પ્રસાદ તૈયાર કરે છે. આ યાત્રાનું બીજું આકર્ષણ એ છે કે આ યાત્રા દરમિયાન ગધેડા અને અન્ય પ્રાણીઓને વેચાણ માટે રાખવામાં આવે છે. અહીં દર વર્ષે મોટા પાયે કાઠેવાડી અને ગામરાણ ગધેડાની ખરીદી અને વેચાણ થાય છે. આ વર્ષે પહેલીવાર પંજાબથી ગધેડા અહીં વેચાણ માટે આવ્યા હતા. તેમની કિંમત લાખોમાં મળી છે. એક પંજાબી ગધેડો આજે 1 લાખ રૂપિયામાં મળ્યો હતો જ્યારે ત્રણ પંજાબી ગધેડા 3 લાખ રૂપિયામાં વેચાયા હતા. જોકે પરિવહનના સાધનો વધવાને કારણે ગધેડાનો ઉપયોગ ઘટ્યો છે, પરંતુ તેની કિંમત હજુ પણ વધી રહી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : મુંબઈ શહેરમાં કેવો વરસાદ પડશે? મોસમનો વર્તારો શું છે? જાણો અહીં.

જેમ જેમ ગધેડાની સંખ્યા ઘટી રહી છે તેમ તેમ તેની કિંમત વધી છે. ખાસ કરીને આ મેળામાં કર્ણાટક, આંધ્રપ્રદેશ, ગુજરાત સહિતના રાજ્યોમાંથી વેપારીઓ આવે છે. આ વર્ષે કાઠેવાડી ગધેડાની ભારે માંગ હતી. પંજાબી હાઇબ્રિડ ગધેડા પણ વેચાણ માટે હતા. અને આ ગધેડાઓની કિંમત 1 લાખ કે તેથી વધુ છે. ઘણા લોકો વિચારતા હતા કે શા માટે ગધેડાની કિંમત અન્ય પ્રાણીઓ કરતા વધારે છે. પરંતુ ગધેડાની સંખ્યા ઘટી રહી હોવાથી તેમની કિંમત વધી છે. હવે ગધેડો લુપ્ત થાય તે પહેલા સરકારે આ અંગે ગંભીરતાથી વિચારવું જોઈએ.

હોળી, રંગપંચમી અને ફુલોરબાગ એમ ત્રણ તબક્કામાં મઢી યાત્રા થાય છે. કાનિફનાથએ રંગપંચમી પર સંજીવન સમાધિ લીધી હોવાથી તે મડીયાત્રાનો મુખ્ય દિવસ માનવામાં આવે છે. કોરોનાના કારણે બે વર્ષ સુધી યાત્રા પૂર્ણ થઈ ન હતી.

Palghar Illegal Liquor Seized પાલઘરમાં ટેમ્પોમાંથી ₹૨૨.૯ લાખનો ગેરકાયદેસર વિદેશી દારૂ અને બિયરનો જથ્થો જપ્ત
MSRTC MumbaiPune Bus Trips મુંબઈપુણે મુસાફરોની મુશ્કેલીમાં MSRTC બન્યું સહારો 30 ટ્રેનો રદ થતાં દોડાવશે 200 વધારાની બસો!
Kharif Sowing Status ખેતીમાં રોનક! રાજ્યમાં 56% ખરીફ વાવણી સંપન્ન, સોયાબીન અને કપાસ બન્યા ખેડૂતોના ‘ગોલ્ડન ક્રોપ’.
Thane Building Collapse આઝાદ નગર વિસ્તારમાં ચાલનો ભાગ ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત, અનેક લોકો ઈજાગ્રસ્ત
Exit mobile version